મોરબીમાં ઘરમાંથી 2.230 કિલો ગાંજા પકડવાના ગુનામાં સપ્લાયરની ધરપકડ: એક દિવસના રિમાન્ડ
મોરબી કોંગ્રેસ પરિવારે શહીદ વીર જવાનના પરિવારને સાંત્વના આપીને કરી આર્થિક મદદ
SHARE
મોરબી કોંગ્રેસ પરિવારે શહીદ વીર જવાનના પરિવારને સાંત્વના આપીને કરી આર્થિક મદદ
મોરબીના રહેવાસી શહિદ વીર ગણેશભાઈ પરમારના પરિવાર ઉપર આવી પડેલ દુખની ઘડીમાં કોંગ્રેસ પરિવાર તેઓને સાંત્વના આપવા માટે શહિદ વીર જવાનના ઘરે પહોચ્યો હતો અને સેનામાં ફરજ બજાવતા શહીદ થયેલ ગણેશભાઈ પરમારના પિતાને મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવારે ૭૫,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અમુભાઈ હુંબલ, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયા, મહેશભાઇ રાજકોટિયા, ભવિનભાઇ ફેફર, બાબુભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.