ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરકામ બાબતે પતિએ કહેતા મહિલાએ ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું


SHARE











મોરબીમાં ઘરકામ બાબતે પતિએ કહેતા મહિલાએ ઘરમાં અણધાર્યું પગલું ભરી લીધું

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા આધેડે તેના પત્નીને ઘરકામ બાબતે કહ્યું હતું જે બાબતે તેને લાગી હતા મહિલાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને  આપઘાત કરી લીધો હતો તેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા રહેમતબેન ઓસમાણભાઈ સુમરા (55)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને તેના પતિએ ઘરકામ બાબતે કહ્યું હતું તે તેને લાગી આવતા મહિલાએ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

વરલી જુગાર

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કાનજીભાઈ ઉર્ફે કાનો અમરસીભાઈ દેથરીયા (35) રહે. ઇન્દિરાનગર મફતિયાપરા મોરબી વાળો વરલીના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 210 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.






Latest News