મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી : એકલવાયા જીવનથી કંટાળી ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબી : એકલવાયા જીવનથી કંટાળી ગયેલ યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા અને ખેતી કામ કરતા યુવાને એકલવાયા જીવનથી કંટાળીને દવા પી લીધી હતી જેથી તેનું મોત નિપજયુ છે.

મોરબી સીટી એ ડિનિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે રહેતા અને ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા ભગવાનજીભાઈ ધનજીભાઈ ડાભી (૪૨) નામના સતવારા યુવાને એકલવાયા જીવનથી કંટાળી જઈને મોનોકોટો દવા પી લીધી હતી. જેથી તેને બેભાન હાલતમાં અહિંની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જોકે અહીં ટૂંકી સારવાર દરમિયાન ભગવાનજીભાઈ ડાભીનું મોત નિપજયુ હતું.મૃતકના ભાઈ અને માતા મોરબી ખાતે રહે છે. જ્યારે મૃતક કંકાવટી ગામે એકલા રહીને ત્યાં ખેતી કામ કરતા હતા જોકે આગળ પાછળ કોઈ ન હોય એકલવાયા જીવનથી કંટાળી ગયા હોય આ પગલું ભર્યું હતું અને તેમનું મોત નીપજેલ છે.મોરબી પોલીસે ઉપરોક્ત બનાવની ધાંગધ્રા પોલીસને જાણ કરી હતી.જેથી આગળની તપાસ ધાંગધ્રા પોલીસ દ્વારા ચલાવવામાં આવશે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેથી બાઇકમાં બેસીને જઈ રહેલા પુજાબેન સુનિલભાઈ આચાર્ય (૨૬) રહે.માર્કો વિલેજ સોસાયટી ઘુંટુ રોડ હરિઓમ પાર્ક સામે સામાકાંઠે મોરબી-૨ નામના મહિલાના વાહનને અજાણ્યા ટ્રક ચાલકે ઠોકર મારી હતી.જેથી થાપાના ભાગે ગંભીર ઇજાઓ સાથે ઇજાગ્રસ્ત પૂજાબેન નામના મહિલાને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તેમજ મોરબીના મકનસર ગામે વધુ પડતી દુખાવાની ટીકડીઓ ખાઈ જવાથી મોમજીભાઈ માવજીભાઈ દારોદરા નામના ૨૩ વર્ષના યુવાનને અત્રે મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા જેથી તાલુકા પોલીસ મથક ખાતે નોંધ થતા સ્ટાફના એ.એચ.પરમાર દ્વારા આ બાબતે નોંધ કરી આગળની તપાસ કરવામાં આવી હતી તેમ પોલીસ દ્વારા જણાવેલ છે.

કાર વૃક્ષ સાથે અથડાઇ

મોરબીના મચ્છુ-૨ ડેમ જોધપર ગામ પાસે કાર વૃક્ષની સાથે અથડાઈ હતી.આ બનાવમાં પરસોતમ કુંવરજી વારેવડીયા (૫૬) રહે.સમથેરવા તા.વાંકાનેર, ભાણજીભાઇ જેરામભાઇ વારેવડીયા (૫૮) રહે.મકનસર, નાગજીભાઇ ખોડાભાઇ વારેવડીયા (૬૭) રહે.મકનસર અને ડાયાભાઈ લાલજીભાઈ વારેવડીયા રહે.થાનને ઇજાઓ થયેલ હોય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના માળીયા હાઈવે ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા મનીષાબેન અનિલભાઈ ભાંભોર નામની ૨૩ વર્ષની મહિલા ટીંબડી નજીક કારખાનામાં કડિયા કામ કરતા હતા ત્યારે સીડી ઉપરથી પડી જતા ઇજા પામ્યા હોય તેમને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા. જ્યારે વાંકાનેર હાઇવે મકનસર ગામે રહેતા મેપાભાઇ વિસાભાઇ વેરાણા નામનો ૪૨ વર્ષનો યુવાન મકનસર પાસેથી પગપાળા જતો હતો ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અહિંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News