વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં જેટકોના અધિકારીઓ સામે નોંધાયેલ ફરિયાદને રદ્દ કરવા જીઈબી એન્જિનિયર એસો.ની માંગ


SHARE











માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં જેટકોના અધિકારીઓ સામે નોંધાયેલ ફરિયાદને રદ્દ કરવા જીઈબી એન્જિનિયર એસો.ની માંગ

તાજેતરમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૮ માં ૧૩૨ કેવી મોટા દહિંસરા લીલો લાઇનના કામ બાબતે જેટકોના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવામાં આવેલ છે તેને રદ કરવા માટે મોરબી જીઈબી એન્જિનિયર એસો. દ્વારા એસપીને આવેદન આપીને રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાત એનર્જી ટ્રાંસમિશન લિમિટેડ (GETCO) કોર્પોરેશનને મળેલ અધિકારની રુએ, જેટકો દ્વારા ૧૩૨ કેવી D/C લીલો મોટા દહિંસરા લાઈનની  કામગીરી જાહેર હીતમાં પૂર્ણ કરવામાં આવી હતી. આ લાઇન અને ૧૩૨ કેવી મોટા દહિંસરા સબસ્ટેશનની માળખાકીય સુવિધા મળતા, માળીયા તાલુકાના લોકોની સુખાકારીમાં ખુબ જ મોટો વધારો થયો છે. જો કે, હાલમાં જીલ્લામાં સરકારી કર્મચારીઓને માનસિક રીતે હેરાન-પરેશાન કરવા, કારકિર્દિ ખતમ કરવા, જેટકો તથા રાજ્ય સરકારને બદનામ કરવા, ભયનો માહોલ ઉભો કરવા, બ્લેક મઈલ કરવાની કોશિશ કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં બે દિવસ પહેલા જેટકોના અધિકારીઓ ઉપર વર્ષ ૨૦૧૮ માં કરેલ કામગીરીમાં એક વ્યક્તિની કથિત સહી અને બે ભાઇઓ વચ્ચે જમીન વિવાદમાં આશરે એક વરસ પછી જમીન માપણી કરાવીને જેટકોના દરેક પ્રકારના કાગળ જેમાં (લાઇનમાં કંઇ ખોટુ થયેલુ નથી) એવા GETCO દ્વારા લખાયેલા પત્રોને અવગણીને આશરે આઠ વર્ષ પછી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે જેટકો ઓથોરિટીની પૂર્વ મંજુરી વગર, જેટકો અધિકારીની જાણ બહાર અને પુરતી તપાસ કર્યા વગર ફરિયાદ દાખલ થઇ છે. જેથી કરીને ખોટી રીતે કરવામાં આવેલ એફઆઈઆર તાત્કાલીક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News