મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ 3 બહેનના એકના એક ભાઈનું મોત


SHARE













વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ 3 બહેનના એકના એક ભાઈનું મોત

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે બે બાઇક અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજા પામેલા 26 વર્ષીય કેતન રાઠોડને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. આ યુવાન 3 બહેનનો એકનો એક ભાઈ હતો. અને તે સીએનજી પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો. અને ગઈકાલે રાત્રે નાસ્તો લેવા માટે જતો હતો ત્યારે જીવલેણ અકસ્માતનો બનાવ બનેલ છે.

વાંકાનેરમાં ગાયત્રી મંદિર બાજુમાં રહેતા કેતનભાઇ ખીમાભાઈ રાઠોડ (26) નામનો યુવાન ગઈકાલે રાત્રે આઠેક વાગ્યા આસપાસ પોતે બાઇક ચલાવીને જતો હતો ત્યારે ઢુવા ચોકડી પાસે અજાણ્યા બાઇક ચાલક સાથે બાઇક અથડાતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને પ્રથમ મોરબી બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન તેનુ મોત નીપજ્યું હતું. વધુમાં મૃતક યુવાનના પરિવાર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ત્રણ બહેન અને એકનો એક ભાઈ હતો અને તે સીએનજી પંપ માં નોકરી કરતો હોય ત્યાંથી સાથી કર્મચારીઓ અને તેના માટે નાસ્તો લેવા ગયો હતો ત્યારે જીવલેણ અકસ્માતનો બનાવ બન્યો હતો






Latest News