ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ


SHARE











મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ

મોરબીના સનાળા ગામ પાસે આવેલ શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરતા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ દરિયાલાલ સ્ક્વેર નામના શોપિંગ સેન્ટરની અંદર નીચેના ભાગમાં માધવ સુઝુકી નામનો શોરૂમ આવેલ છે અને તે શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આસપાસના વેપારીઓ દ્વારા તાત્કાલિક આ બનાવ અંગેની શોરૂમના સંચાલકોને જાણ કરવામાં આવી હતી તેમજ મોરબી મહાપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ આગ લાગવાની ઘટના સાંજના સમયે શોરૂમમાં બની હતી જો કે, શોરૂમ તે સમયે બંધ હતો પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી.






Latest News