મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ


SHARE











મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ

મોરબીના સનાળા ગામ પાસે આવેલ શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરતા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ દરિયાલાલ સ્ક્વેર નામના શોપિંગ સેન્ટરની અંદર નીચેના ભાગમાં માધવ સુઝુકી નામનો શોરૂમ આવેલ છે અને તે શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આસપાસના વેપારીઓ દ્વારા તાત્કાલિક આ બનાવ અંગેની શોરૂમના સંચાલકોને જાણ કરવામાં આવી હતી તેમજ મોરબી મહાપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ આગ લાગવાની ઘટના સાંજના સમયે શોરૂમમાં બની હતી જો કે, શોરૂમ તે સમયે બંધ હતો પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી.






Latest News