સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ એકતા પદ યાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા જોડાયા


SHARE











સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ એકતા પદ યાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા જોડાયા

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી અંતર્ગત સમગ્ર ભારત રાષ્ટ્રમાં એકતા પદયાત્રા ચાલી રહી છે તે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ ૨૬ નવેમ્બરે કરમસદથી પ્રારંભેલી અને ૬ ડિસેમ્બરે કેવડિયા એકતાનગર પૂર્ણાહુતિ થનાર ૧૯૦ કિ.મી. ની સરદાર એકતા પદયાત્રા હાલ ચાલુ છે. તેમાં વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બે દિવસ આ પદયાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા પણ જોડાયા હતા. આ યુનિટી માર્ચમાં ઠેર ઠેર સરદાર સાહેબ ના જીવન ચરિત્રને ઉજાગર કરતા અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. તેમા આ પદ યાત્રા દરમિયાન શિનોર તાલુકામાં ૫૬૨ રજવાડાઓની સ્મૃતિમાં સરદાર એકતા સ્મૃતિ વન નિર્માણ કરવાના ભાગરૂપે યોજાયેલ વૃક્ષારોપણ માં તેલંગણા ના આગેવાન પ્રેમંદર રેડી સાથે બ્રિજેશ મેરજા એ ભાગ લીધો હતો. મોટા ફોફળવા ગામે ગુજરાતના નામદાર રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મંત્રી નરેશ પટેલ, બરંડા સહિત અનેક રાજકીય અને સહકારી અને પંચાયત ક્ષેત્રના મહાનુભાવો આ પદયાત્રામાં સામેલ થયા હતા. એકંદરે આ યુનિટી માર્ચ ખૂબ ઉત્સાહભેર પરિભ્રમણ કરી રહી છે અને લોકો પણ ઉમંગથી ઠેર ઠેર આવકારતા હોય છે. આમ, સરદાર વલ્લભભાઈ પટેલનો એકતાનો સંદેશ અને તેમના જીવન અને કવન લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી રહી છે.






Latest News