મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે એનસીસી ડે ની ઉજવણી કરાઇ


SHARE







મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજ ખાતે એનસીસી ડે ની ઉજવણી કરાઇ

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે એનસીસી ડે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કોલેજના એનસીસી કેડેટ્સે પરેડ, ડ્રિલ અને સ્વચ્છતા અભિયાન જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા પોતાની શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરી હતી. ત્યારે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા એ જણાવ્યુ હતું કે, એનસીસી માત્ર તાલીમ નથી, તે રાષ્ટ્ર માટે જીવવાની સન્માનસભર પ્રેરણા છે. ત્યાર બાદ મોરબીના મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને ક્રાંતિકારીઓની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી અને તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી. કાંજીયાની પ્રેરણાથી પ્રિન્સિપાલ સતીશ વોરા અને એનસીસી એએનઓ શીતલબેન કંઝારિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.






Latest News