મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રાંત અધિકારીની કચેરીએ બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રોફેસરની તબિયત લથડી


SHARE







મોરબીમાં પ્રાંત અધિકારીની કચેરીએ બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રોફેસરની તબિયત લથડી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે બી.એલ.ઓ. ના સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રોફેસરની અચાનક તબિયત બગડી હતી જેથી 108 મારફતે તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને બીપી લો થઈ જવાના કારણે તેઓને તબિયત બગડી હોવાનું અન્ય અધિકારી અને કર્મચારી પાસેથી જાણવા મળેલ છે.

સરકારી શાળા અને કોલેજના શિક્ષકો અને પ્રોફેસરો પાસેથી બી.એલ.ઓ. તથા બી.એલ.ઓ. સુપરવાઇઝર સહિતની શિક્ષણ સિવાયની જુદી જુદી અનેક પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે જેના કારણે તેઓ સતત ટેન્શનમાં રહેતા હોય છે દરમિયાન ગુજરાતમાં શિક્ષકે કામગીરીના કારણે આપઘાત કર્યા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે તેવામાં જો મોરબીની વાત કરીએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે કામ કરતા મોરબી એલ.ઇ. કોલેજના પ્રોફેસર મનીષભાઈ જેઠવાની અચાનક તબિયત બગડી હતી જેથી તેઓને 108 મારફતે અન્ય અધિકારી અને કર્મચારીએ સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી અને તેઓની સાથે રહેલા અધિકારી અને કર્મચારી પાસેથી મળેલ વિગત પ્રમાણે મનીષભાઈ જેઠવાને બીપી લો થઈ જવાના કારણે તેઓની તબિયત બગડી હતી અને તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News