મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ચંદ્રપુર પાસે યુનિટના ગ્રાઉન્ડમાંથી 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી


SHARE







વાંકાનેરમાં ચંદ્રપુર પાસે યુનિટના ગ્રાઉન્ડમાંથી 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી

વાંકાનેરમાં ચંદ્રપુર પાસે આવેલ દરગાહની પાછળના ભાગમાં એશિયન રિફેકટરી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર લોડર મૂક્યું હતું જેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 12 લાખના ટ્રેક્ટર લોડરની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરમાં આવેલ એસટીના વર્કશોપની પાછળના ભાગમાં મનમંદિર સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મનોજભાઈ આંબલીયા (41)એ અજાણ્ય શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, વાકાનેરના ચંદ્રપુર પાસે મોમીનશા બાવાની દરગાહ પાછળના ભાગમાં આવેલ તેઓના એશિયન રિફેકટરી યુનિટના ખુલ્લા ગ્રાઉન્ડમાં ટ્રેક્ટર લોડર નંબર જીજે 36 એસ 3691 પાર્ક કરીને મૂક્યું હતું જે ટ્રેક્ટર લોડરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ૧૨ લાખના ટ્રેકટર લોડરની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે હનુમાન મંદિર પાસે રહેતા અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ મેરજા નામનો યુવાન સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ બાજુથી ઘર તરફ જતો હતો તે રસ્તે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયેલ હોય ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સામાકાંઠેની શિવમ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે ટીંબડી ગામના પાટીયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા ધનજીભાઈ વાઘજીભાઈ પરમાર (45) રહે.રાતાવિડા વાંકાનેરને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલે સારવાર માટે ખસેડાયા હતા જે અંગે નોંધ કરી પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે. તેમજ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ કેટોન લેમિનેટના લેબર ક્વાર્ટર ખાતે બીજા માળની  ઊંચાઇએથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલા જયસિંહ શેટ્ટી (ઉમર 29) નામના યુવાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.






Latest News