સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ દર્શનનો લાભ લીધો


SHARE











મોરબી જલારામ ધામ ખાતે સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ દર્શનનો લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં રામ નામ કે હીરે મોતીફેઈમ સુપ્રસિધ્ધ ભજન કલાકાર અશોકભાઈ ભાયાણીએ ઉપસ્થિત રહી પોતાના હસ્તે ભોજન પીરસ્યુ હતું અને ધન્યતા અનુભવી હતી.

મોરબી જલારામ ધામ ખાતે બંને ટાઈમ સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવા માં આવે છે ત્યારે આજ રોજ રામ નામ કે હીરે મોતીફેઈમ સુપ્રસિધ્ધ ભજનિક અશોકભાઈ ભાયાણી મોરબી જલારામ ધામ ખાતે આવ્યા હતા અને જલારામ બાપાની કૃપા અને પ્રેરણાથી ચાલતા સદાવ્રતમાં પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ તકે અશોકભાઈ ભાયાણીએ મોરબી જલારામ ધામ દ્વારા કોઈપણ પ્રકારના નાત-જાતના ભેદભાવ વિના ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી તેમજ મોરબી જલારામ ધામના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીને શુભકામનાઓ પાઠવી હતી તેમજ તેમના સ્વાસ્થ્ય અંગે જલારામ બાપાના ચરણોમાં પ્રાર્થના કરી હતી.






Latest News