વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ


SHARE











મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા-બમણી રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ

મોરબીના કારખાનેદાર પાસેથી ઉઘરમાં માલની ખરીદી કરવામાં આવ્યા બાદ વેપારીએ ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ કર્યો હતો જેમાં કોર્ટે સામાવાળાને એક વર્ષની સજા, બમણી રકમ વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એવી હતી કે, ફરીયાદી પ્રિન્સકુમાર દીનેશચંન્દ્ર પનારા (રામોજી ગ્રેનાઈટ પ્રા.લી.ના ઓથોરાઈઝડ સીગ્નેચરી)સામાવાળા કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રી (પ્રોપરાઈટર ઓફ જલારામ એન્ટરપ્રાઈઝ)ને વર્ષ ૨૦૧૮ માં ઉધારમાં સીરામીક આઈટમ્સનો માલ વેંચેલા હતો. અને ફરીયાદીએ મોકલેલ માલની બાકી રકમની ચુકવણી કરવા સામાવાળા કલ્પેશ વિનુભાઈ મીસ્ત્રીએ ૧,૫૫,૫૩૬ નો ચેક ફરીયાદીને આપેલ હતો. જે ચેક ફરીયાદીએ બેંકમાં જમા કરાવ્યો હતો જોકે, ચેક રિટર્ન થયો હતો. જેથી ફરીયાદીએ વકીલ મારફત નોટીસ આપેલ હતી છતાં સામાવાળાએ ચેકની રકમ આપેલ ન હતી જેથી ફરીયાદી મોરબીની કોર્ટમાં કલ્પેશ મીસ્ત્રી સામે ફોજદારી ફરીયાદ દાખલ કરેલ હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં ફરીયાદી પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા ૨જુ કરાયેલ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના મહે.એડી.ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ સી.વાય.જાડેજા સાહેબે કલ્પેશ વિનુભાઈ મિસ્ત્રીને એક વર્ષની કેદની સજા, ચેકની રકમથી ડબલ રકમનો દંડ તથા ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી ચેકની રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ વળતર પેટે ચુકવવાનો હુકમ કરેલ છે અને તેમ કરવામાં કસુર કર્યે વધુ ૯૦ દીવસની સજાનો આદેશ કરેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે આશિષ ડી.ચાવડા, મીતરાજસિંહ કે.જાડેજા અને નીશીત પી.ધેટીયા રોકાયેલ હતાં.






Latest News