ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા કારસેવકોના હુતાત્મીઓને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં વિહિપ અને બજરંગદળ દ્વારા કારસેવકોના હુતાત્મીઓને શ્રદ્ધાંજલિ આપવા રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીમાં વિહિપ અને બજરંગદળ પ્રખંડ તથા મોરબી ગ્રામ્ય સંયુક્ત ઉપક્રમે શ્રી રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવકો પર તત્કાલીન સરકાર દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં અનેક હુતાત્મીઓ બલિદાન થયા હતા તે તમામ બલિદાની હુતાત્મીઓની યાદીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા સંસ્કારધામ બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો અને ધર્મ પ્રેમી જનતા દ્વારા રક્તદાન કરી હુતાત્મીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સંસ્કારધામ બ્લડ બેંક અને મોરબી જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના સ્ટાફનો સહયોગ મળ્યો હતો અને રક્તદાનીઓનેને પ્રોત્સાહન માટે વિહિપ અને બજરંગદળ તેમજ સંસ્કારધામ બ્લડ બેંક અને જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ દ્વારા સન્માન પત્ર તથા HDFC બેંક મોરબી મુખ્ય શાખા તરફથી ગિફ્ટ પણ આપવામાં આવી હતી.






Latest News