મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીની સ્મૃતિમાં ડો. હસ્તીબેન મહેતાના 195 મો કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં સ્વ. જયેન્દ્રભાઈ નિરંજનીની સ્મૃતિમાં ડો. હસ્તીબેન મહેતાના 195 મો કેમ્પ યોજાયો

મોરબીમાં ડો હસ્તીબેન મહેતાના  195 માં કેમ્પનું ગઇકાલે સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઇ નિરંજનીની ૩૮ મી પુણ્યતિથિ દમયંતીબેન જયેન્દ્રભાઈ  નિરંજની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને વિનોદભાઈ પરમારના નિવાસસ્થાને સો ઓરડી વિસ્તારમાં માળિયા- વનાળિયા મેઇન રોડ મોરબી-૨ ખાતે આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ ડો હસ્તીબેન મહેતા દ્વારા દર્દીનું વજન કરી, ત્રણ દિવસની સારવાર માટે દવા આપવામાં આવી હતી અને ફ્રી બ્લડ સુગર અને બીપી ચેક કરી આપ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા શ્રીમતી મનિષા તથા સિદ્ધાર્થ નિરંજની, વિનોદભાઈ પરમાર અને તેમના સમગ્ર પરિવારે જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિભાઈ દેસાઈ, કેતનભાઈ મહેતા, બિંદુબેન દવે, સુદીપ વોરાએ સેવા આપેલ હતી.






Latest News