મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના લાલપર પાસેથી બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થયું હતું જેથી તે યુવાન નીચે પટકયો હતો અને તેને માથા અને શરીરે ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ઉર્મિલાબેન રાજકુમાર વર્મા (39)ની ફરિયાદ લઈને પોલીસે તેના મૃતક પતિ રાજકુમાર રામપ્રસાદ વર્મા (43)ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે અને તે ફરિયાદીમાં મહિલાએ જણાવ્યું છે કે મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી તેઓના પતિ બાઈક નંબર જીજે 10 ડીએલ 0867 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેઓ રસ્તા ઉપર નીચે પડતા તેને માથામાં અને શરીરે ગંભીર જાઓ થતા સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃત્યુ પામેલા યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

યુવાનને મારમાર્યો

મોરબી તાલુકાના પીપળી ગામે આવે શાંતિનગર વિસ્તારમાં હિંમતભાઈ વાઘજીભાઈ જાદવ (45) નામના યુવાનને કોઈએ મારમાર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પી લેતા સારવાર

મોરબી તાલુકાના રાજપર ગામે વાડી વિસ્તારમાં રહેતા કનુભાઈ અલાવાની 17 વર્ષની દીકરી પિન્કીબેને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News