મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના લાલપર પાસેથી બાઇક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થયું હતું જેથી તે યુવાન નીચે પટકયો હતો અને તેને માથા અને શરીરે ઈજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મ સિદ્ધિ સોસાયટીમાં રહેતા ઉર્મિલાબેન રાજકુમાર વર્મા (39)ની ફરિયાદ લઈને પોલીસે તેના મૃતક પતિ રાજકુમાર રામપ્રસાદ વર્મા (43)ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે અને તે ફરિયાદીમાં મહિલાએ જણાવ્યું છે કે મોરબી વાંકાનેર રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસેથી તેઓના પતિ બાઈક નંબર જીજે 10 ડીએલ 0867 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેઓ રસ્તા ઉપર નીચે પડતા તેને માથામાં અને શરીરે ગંભીર જાઓ થતા સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી હાલમાં મૃત્યુ પામેલા યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

યુવાનને મારમાર્યો

મોરબી તાલુકાના પીપળી ગામે આવે શાંતિનગર વિસ્તારમાં હિંમતભાઈ વાઘજીભાઈ જાદવ (45) નામના યુવાનને કોઈએ મારમાર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પી લેતા સારવાર

મોરબી તાલુકાના રાજપર ગામે વાડી વિસ્તારમાં રહેતા કનુભાઈ અલાવાની 17 વર્ષની દીકરી પિન્કીબેને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News