મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું

મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં આવેલી ન્યુ વરિયા પ્રજાપતિ નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ થાનગઢના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ સામે ન્યુ વરિયા પ્રજાપત નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા જીતેશભાઈ પ્રભુભાઈ સીતાપરાની 16 વર્ષની દીકરી સંજનાબેન સીતાપરાએ કોઈપણ કારણોસર કારખાનાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી 108 મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ આર.આર.મિયાત્રા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતી કે, મૃતક સગીરાને આંચકીની બીમારી હતી. તેવુ તેના પરિવારની પૂછપરછમાં સામે આવ્યું છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો પ્રકાશભાઈ વાલજીભાઈ પરમાર (27) નામનો યુવાન કોઈ કારણોસર ઈંટોનો ભઠ્ઠા પાસે ટાઇલ્સ ક્લીનર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં આવેલ સોનલ સોસાયટીમાં રહેતા શાંતુબાઈ અમરસિંહ લાંબા (70) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને રફાળેશ્વર ગામે આવેલ પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News