વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક પરિવાર-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં સિરામિક પરિવાર-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવણી કરાઇ

સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબીની વાત કરીએ તો મોરબી સિરામિક એસો. પરિવાર તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા અને સંદીપભાઈ દેત્રોજા તેમજ માજી પ્રમુખ કિરીટભાઈ ઓગણજા અને મોટી સંખ્યામાં સીરામીક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજભાઈ પનારા સહિતની પાટીદાર યુવાનોની ટીમ તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન કે.ડી. પડસુંબિયા અને જુદી જુદી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા પાટીદાર સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હારતોરા કરવામાં આવ્યા હતા આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં મોરબી શહેરમાં જુદીજુદી બેથી ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મુકવામાં આવશે. જેમાં વીસી હાઈસ્કૂલ પાસે સરદાર પટેલનું સ્ટેચ્યું છે તેને સિરામિક પરિવાર દ્વારા રિનોવેશન કરવામાં આવશે અને રવાપર ચોકડી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મુકવા માટેની મંજૂર માંગવામાં આવેલ છે.






Latest News