મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક પરિવાર-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં સિરામિક પરિવાર-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવણી કરાઇ

સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબીની વાત કરીએ તો મોરબી સિરામિક એસો. પરિવાર તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા અને સંદીપભાઈ દેત્રોજા તેમજ માજી પ્રમુખ કિરીટભાઈ ઓગણજા અને મોટી સંખ્યામાં સીરામીક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજભાઈ પનારા સહિતની પાટીદાર યુવાનોની ટીમ તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન કે.ડી. પડસુંબિયા અને જુદી જુદી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા પાટીદાર સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હારતોરા કરવામાં આવ્યા હતા આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં મોરબી શહેરમાં જુદીજુદી બેથી ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મુકવામાં આવશે. જેમાં વીસી હાઈસ્કૂલ પાસે સરદાર પટેલનું સ્ટેચ્યું છે તેને સિરામિક પરિવાર દ્વારા રિનોવેશન કરવામાં આવશે અને રવાપર ચોકડી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મુકવા માટેની મંજૂર માંગવામાં આવેલ છે.






Latest News