મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેર: માવતરના ઘરેથી પત્ની દિવાળીએ પછી ન આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE













વાંકાનેર: માવતરના ઘરેથી પત્ની દિવાળીએ પછી ન આવતા યુવાને અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામની સીમમાં રહેતા યુવાનની પત્ની તેના પિતાના ઘરે જતી રહેલ હતી જેને દિવાળી ઉપર પાછા આવવા માટે યુવાને કહ્યું હતું જો કે, યુવાનની પત્ની પછી આવી ન હતી જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામમાં સીમમાં આવેલ મિલેનિયમ સીરામીક અને વરમોરા સીરામીકની પાછળના ભાગમાં રહેતા કરણકુમાર વિનોદકુમાર કઠેરિયા (32) નામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની તેના ભાઈ ગગનકુમાર વિનોદકુમાર કઠેરીયા (22) રહે. હાલ ઢુવા મૂળ રહે. ઉત્તર પ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક કરણકુમાર ની પત્ની તેના પિતાના ઘરે જતી રહેલ હોય દિવાળીના તહેવારમાં કરણકુમારે ફોન કરીને તેની પત્નીને પોતાની પાસે આવવા માટે થઈને કહ્યું હતું જોકે, તે આવી ન હતી જેથી કરીને મનોમન લાગી આવતા કરણકુમારે ગળાફાંસો ખાઈ લીધો હતો તેવી માહિતી તપાસમાં સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News