મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદમાંથી માથું-હાથ કાપેલ હાલતમાં મળેલ લાશની ઓળખ મળી


SHARE













હળવદમાંથી માથું-હાથ કાપેલ હાલતમાં મળેલ લાશની ઓળખ મળી

હળવદમાં રાતકડી હનુમાન મંદિરે જવાના રોડ ઉપરથી માથું અને હાથ કાપેલ હાલતમાં એક લાશ ગઈકાલે મળી આવી હતી જેથી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને કોઈ જાનવરે મૃતદેહ ફાડી ખાધો હોવાની શક્યતા હતી દરમ્યાન પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ મેળવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મૃતક વ્યક્તિની ઓળખ મળી ગયેલ છે.

હળવદમાં આવેલ રાતકડી હનુમાન મંદિર જવાના રોડ ઉપરથી ગઇકાલે એક મૃતદેહ પડ્યો હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ સ્થળ ઉપર પહોચી હતી અને ત્યાં સ્થળ ઉપરથી માથું અને હાથ કપાયેલ હાલતમાં પુરુષની લાશ મળી આવી હતી જેથી મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને અજાણ્યા પુરુષની લાશ મળી હોવાથી પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ ગઇકાલે મળી આવેલ મૃતદેહ ઈશ્વરગીરી ઉર્ફે ઈસો ભાનુગીરી ગોસાઈ (60) રહે. હાલ રાતકડી હનુમાન મંદિર જવાના રસ્તે મેલડી માતાજીના મંદિરે હળવદ મૂળ રહે. લીંબડી જીલ્લો સુરેન્દ્રનગર વાળા મેલડી માતાજીના મંદિરે રહેતા હતા અને કોઈ કારણોસર બીમારી સબબ બેભાન અવસ્થામાં પડી ગયેલ હોય અને જંગલી જનાવર દ્વારા જમણો હાથ તથા ખોપરીનો ભાગ અને શરીરે અલગ અલગ જગ્યાએ બચકા ભરીને ઇજા કરવામાં આવી હતી જે અંગેની હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News