સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરમાં વધુ એક હત્યા, પોલીસની લેશમાત્ર ધાક નહીં..?!


SHARE











મોરબીના વાંકાનેરમાં વધુ એક હત્યા, પોલીસની લેશમાત્ર ધાક નહીં..?!
 
મોરબી જીલ્લાના વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જેમા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવતા યુવાનનું મોત નિપજ્યું છે.જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પૂએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને હત્યાના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
મોરબીના વાંકાનેરમાં મોડી સાંજે ગાયત્રી મંદિર પાસે કોઈ બાબતે ડખ્ખો થયો હતો જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાભરમાં અનેક મર્ડર થયા છે જેમાં કોંગ્રેસ આગેવાન મોટલાણી પિતા-પુત્રના મર્ડર, મમુદાઢી ડબલ મર્ડર સહિત છેલ્લા સમયગાળામાં અનેક મર્ડર થયા હોય જિલ્લાભરમાં પોલીસનો ગુનેગારોને લેશમાત્ર ભય ન હોય તેવા માહોલનું સર્જન થયું છે.
 
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે આજે તા.૧૩-૧૨ ના મોડી સાંજના સમયે વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે કોઈ કારણોસર યુવાનને તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી ત્યારે પ્રાથમિક વિગત એવી સામે આવી છેકે મૃતક યુવાનનું નામ કેશાભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉ.વ ૩૬) છે જોકે કયા કારણોસર તીક્ષ્ણ હથીયારોના ઘા મારીને કેશાભાઇની નિર્મમ હત્યા કરવામાં આવી છે..? અને કોણે બનાવને અંજામ આપેલ છે તે દિશામાં હાલમાં વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતક યુવાનના પરિવારજનમાંથી ફરિયાદ લેવા માટેની પણ કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે.





Latest News