મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

ટંકારામાં વ્યાજની પઠાણી ઉઘારણી કરીને જમીન હડપ કરવાનો પ્રયાસ કરવાના ગુનામાં બે આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE







ટંકારામાં વ્યાજની પઠાણી ઉઘારણી કરીને જમીન હડપ કરવાનો પ્રયાસ કરવાના ગુનામાં બે આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોની સામે જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી નઅને ટંકારની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા માટે આદેશ કર્યો છે.

આ કેસની ટૂંકી વિગત એવી હતી કે, ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023 માં ફરિયાદી કાંતીભાઈ દેવસીભાઈ તાલપરાઆરોપીઓ વિરમભાઈ નાગદાનભાઈ સોઢીયા અને મહેશભાઈ નારણભાઈ ડાવેરા સામે આઇસપીસીની કલમ ૩૮૬, ૩૮૭ તથા ગુજ. નાણા ધીરધાર અધિનિયમની કલમ ૪૦, ૪૨ મુજબ ફરિયાદ નોંધાયેલ હતી જેમાં જણાવ્યુ છે કે, ફરીયાદીને 7.30 લાખ રૂપિયા વ્યાજે આપેલ હતા અને ફરીયાદીના નામની ઉમીયાનગર સ. નં. 247 વાળી 8.30 વીઘા જમીનના કાગળો કરાવી લીધા હતા અને મહીને 5 ટકા લેખે 4.50 લાખ વ્યાજના લીધા હતા અને છેલ્લા 8 માસથી આર્થીક સ્થિતી નબળી હોવાના કારણે ફરિયાદી વ્યાજ નહી આપી શકતા ફરીયાદીની જમીન પોતાના નામે કરી લેવા રેવન્યુ શાખામાં અરજી કરેલ હતી અને ફરીયાદીએ નોટીસમાં સહી નહી કરતા આરોપીએ ફરીયાદી તથા સાહેદ રજનીકાંતભાઈને ટંકારામાં રોકીને 12 લાખ વ્યાજ અને મુદ્દલ રકમ આજે જ આપવાની અથવા નોટીમાં સહી કરી અને જમીન પોતાના નામે કરી આપ નહીતર તને પતાવી દઈશ તેવી મોત ઘમકી આપી હતી અને ફરીયાદીની જમીન હડપ કરવા માટે નોટીમાં સહી કરવા બળજબરી કરી અને વ્યાજની પઠાણી ઉઘારણી હતી જે ગુનામાં આરોપીઓની ઘરપકડ કરી હતી અને ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. જે કેસ ટંકારાની કોર્ટમાં ચાલી જતાં જજ સોયેબ મહમદ ગુલામમહમદ શેખ સાહેબ દ્વારા આરોપી વીરમભાઈ નાગદાનભાઈ સોઢીયા અને મહેશભાઈ નારણભાઈ ડાવેરાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) રોકાયેલા હતા.






Latest News