ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે


SHARE











માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે

માળિયા મિયાણા તાલુકાના વિભાજન માટેની ગતિવિધિ ચાલી છે તેને રોકાવા માટે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે. અને કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિના આમીન ભટ્ટી અને ઈકબાલભાઈએ જણાવ્યુ હતું કે, માળિયા મિયાણા તાલુકાને વિભાજિત કરી તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જેતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓમાં સામેલ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. જો આવું કરવામાં આવે તો માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. ઉલેખનીય છે કે, માળિયા (મિયાણા) બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું અને સૌરાષ્ટ્રનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે વિસરાઈ જશે અને માળીયાના વિભાજનથી બે તાલુકા બનાવવામાં આવે તો માળીયાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં તાલુકા કક્ષાની કચેરીઓ સરકારે માળીયામાં બનાવેલ છે. તે અંદાજે ૩.૨૨ કરોડના ખર્ચે બનેલ મિલકતો નકામી થઇ જશે. આટલું જ નહીં કજરડા, હરીપર, ખીરઈ, ચીખલી, નવાગામ, રસંગપર વગેરે ગામોએ ગ્રામ સભામાં કોઈ ઠરાવ પસાર કર્યો નથી, છતાં તેમને આ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા છે ! જેથી કરીને આ નિર્ણયના વિરોધમાં તા 13 ના રોજ સવારે 11 વાગ્યે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં માળિયા (મિયાણા) ના 46 ગામોના લોકો હાજર રહેશે. અને જે આવેદન પત્ર આપવામાં આવશે તેની મુખ્ય માંગણી માળિયા (મિયાણા) તાલુકાને વિભાજિત કરવાનો પ્રસ્તાવ તાત્કાલિક રદ કરો, માળિયા (મી.) ને મૂળ તાલુકા મુખ્ય મથક તરીકે જાળવો, 3.22 કરોડના જાહેર રોકાણનું રક્ષણ કરો, ગ્રામ સભાઓ સાથે પારદર્શી ચર્ચા કરો વિગેરે માંગ કરવામાં આવશે.






Latest News