મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ અને ટાઇલ્સ મૂકવાના ઘોડા વચ્ચે દબાઈ ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબી નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ અને ટાઇલ્સ મૂકવાના ઘોડા વચ્ચે દબાઈ ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ તથા ટાઇલ્સ મૂકવાના ઘોડાની વચ્ચે દબાઈ જવાના કારણે ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સીમમાં આવેલ રોક સ્પેલ સિરામિક કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરમાં રહેતો દાદુલાલસિંહ બારેલાલસિંહ ગોડ (૨૦) નામનો યુવાન ગત તા.૨૫-૯ ના રોજ રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં કારખાનામાં ઈલેક્ટ્રીક રોબોટ તથા ટાઇલ્સ મૂકવાના ઘોડા વચ્ચે અકસ્માતે આવી ગયો હતો.જેથી તેને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના પિતા બારેલાલસિંહ હરદિનસિંહ ગોડ (૫૦) રહે.હાલ ઉંચી માંડલ ગામની સીમ રોક સ્પેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં તા.મોરબી મૂળ રહે.મધ્યપ્રદેશએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

માળીયા મીંયાણાના રહેવાસી સલીમભાઈ ભારમલભાઈ જેડા(૨૯) અને સલેમાનભાઈ હસનભાઈ જેડા બંને બાઈકમાં જતા હતા ત્યારે માળિયા મીંયાણાના હરિપર ગામ પાસે બાઈકમાંથી પડી ગયા હોય બંનેને સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારાના ઓટાળા ગામે વાડી વિસ્તારમાં અજીતભાઈ હિંમતભાઈ રેવરીયા નામના ૨૫ વર્ષના યુવાનને બે લોકોએ માર મારતા સારવાર માટે મોરબી લવાયો હતો.તેમજ સુરેન્દ્રનગર ખાતે પંચાયત કચેરી સામે રહેતા દિપકભાઈ દેવજીભાઈ ધાંધલ નામના ૪૮ વર્ષના યુવાનને ત્યાં બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામેલ હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા અને વાંકાનેરના રહેવાસી અનવરભાઈ કાદરભાઈ નામના ૩૨ વર્ષના યુવાનને ચંદ્રપુર ગામ પાસે સાંજે છએક વાગ્યે કાળુભાઇ દ્રારા ધોકા વડે માર માર મારવામાં આવ્યો હોય અનવરભાઇને વાંકાનેર હોસ્પિટલએ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.





Latest News