મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીથી ચોટીલા સુધી પદયાત્રા કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કુળદેવી ચામુંડા માતાજીનાં કરશે દર્શન


SHARE











મોરબીથી ચોટીલા સુધી પદયાત્રા કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કુળદેવી ચામુંડા માતાજીનાં કરશે દર્શન

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે રહેતા મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમના પત્ની સહિતના પરિવારજનો સાથે તેઓના કુળદેવી ચામુંડા માતાજીનાં મંદિરે ચોટીલા દર્શન કરવા માટે પદયાત્રા કરીને જવા માટે રવાના થયેલ છે અને ત્યારે તેઓની સાથે મોરબી શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયા, ભાજપના અગ્રણી મેઘરાજસિંહ ઝાલા સહિતના તેઓની સાથે પદયાત્રામાં જોડાયા છે અને મોરબીથી ૬૮ કિલોમીટર ની પદયાત્રા કરીને ધારાસભ્ય તેઓના પરિવારજનો સહિતનાઓની સાથે ચોટીલા ચામુંડ માતાજીના દર્શન કરશે. આજે ધારાસભ્ય તેઓના ઘરેથી પરિવારજનો અને ટેકેદારો સહિતનાઓની સાથે ચોટીલા તરફ જવા માટે રવાના થયા છે ત્યારે રસ્તામાં મકનસર જુદા જુદા ગ્રામ્ય વિસ્તારો પાસે ગામના આગેવાનો દ્વારા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું ફુલહાર કરીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ.






Latest News