મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

ટંકારામાં વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે ઝઘડો કરીને આધેડને પિતા-પુત્રએ માર માર્યો


SHARE







ટંકારામાં વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે ઝઘડો કરીને આધેડને પિતા-પુત્રએ માર માર્યો

ટંકારામાં રહેતા આધેડની સાથે વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આધેડને લાકડાના ધોકા વડે ખભા અને હાથ ઉપર માર મારીને ફેક્ર જેવી ઇજા કરવામાં આવેલ છે અને ગર્ભિત ધમકી પણ આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

ટંકારામાં મઠવાળી શેરીમાં જુના આર્ય સમાજની બાજુમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો (50)એ હાલમાં દિલીપભાઈ છગનભાઈ ઘેટીયા અને છગનભાઈ રાવજીભાઈ ઘેટીયા રહે. બંને ગાયત્રીનગર ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, એક દિવસ પહેલા દિલીપભાઈ ઘેટીયાએ વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે ફરિયાદી સાથે ઝઘડો કરીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તે વાતનો ખા રાખીને લાકડાના ધોકા વડે ફરિયાદી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ખભા તથા જમણા હાથમાં મારમારીને ફ્રેક્ચર જેવી ઈજા કરવામાં આવી હતી અને છગનભાઈ ઘેટીયાફરિયાદીને ગર્ભિત ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.






Latest News