વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ


SHARE











મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ

મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી ગરબી મંડળનું છેલ્લા ૨૪ વર્ષોથી આયોજન કરવામાં આવે છે અને મોરબીના વાઘપરા શેરી નં.૧૪ માં આવેલ શ્રી ગાયત્રી પ્રેરણા મંદિરના પ્રાંગણમાં આ ગરબી યોજાઇ છે જેમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ નું ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં જયારે અર્વાચીન રાસની ભરમાર છે અને પાર્ટી પ્લોટનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે આ ગરબી મંડળે પોતાના પ્રાચીન રાસ-ગરબાની આગવી પરંપરા જાળવી રાખી છે. અહિં બાળાઓ દ્વારા દર વર્ષે અવનવા રાસ રજુ કરવામાં આવે છે. જેમાં રાધા-કૃષ્ણનો રાસ, દિવડા રાસ, તલવાર રાસ, હેલ્લારો રાસ વગેરે જેવા અનેક રાસ ગરબી મંડળની બાળાઓ રજૂ કરે છે. આ વર્ષે પણ આ તમામ પ્રકારના રાસ ઉપરાંત બીજા નવા રાસ બાળાઓ દ્વારા લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ગરબીમાં બાળાઓ પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી અને છેલ્લા નોરતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ તરફથી અને અન્ય દાતાઓ તરફથી બાળાઓને લ્હાણી આપવામાં આવે છે. અને અહી જે બાળાઓ રાસ રજૂ કરે છે તે રાસ ગરબાની તૈયારી દર્શનાબેન જોષી તથા રાધિકાબેન પંડપા દ્વારા કરાવવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવ માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ જગદીશભાઈ ઓઝા અને અન્ય ટ્રસ્ટી અંબરીશભાઈ જોષી તથા મહિધરભાઈ દવે છેલ્લા ઘણાં સમયથી જહેમત લઈ રહયા છે.






Latest News