મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ


SHARE







મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ

મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી ગરબી મંડળનું છેલ્લા ૨૪ વર્ષોથી આયોજન કરવામાં આવે છે અને મોરબીના વાઘપરા શેરી નં.૧૪ માં આવેલ શ્રી ગાયત્રી પ્રેરણા મંદિરના પ્રાંગણમાં આ ગરબી યોજાઇ છે જેમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ નું ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં જયારે અર્વાચીન રાસની ભરમાર છે અને પાર્ટી પ્લોટનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે આ ગરબી મંડળે પોતાના પ્રાચીન રાસ-ગરબાની આગવી પરંપરા જાળવી રાખી છે. અહિં બાળાઓ દ્વારા દર વર્ષે અવનવા રાસ રજુ કરવામાં આવે છે. જેમાં રાધા-કૃષ્ણનો રાસ, દિવડા રાસ, તલવાર રાસ, હેલ્લારો રાસ વગેરે જેવા અનેક રાસ ગરબી મંડળની બાળાઓ રજૂ કરે છે. આ વર્ષે પણ આ તમામ પ્રકારના રાસ ઉપરાંત બીજા નવા રાસ બાળાઓ દ્વારા લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ગરબીમાં બાળાઓ પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી અને છેલ્લા નોરતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ તરફથી અને અન્ય દાતાઓ તરફથી બાળાઓને લ્હાણી આપવામાં આવે છે. અને અહી જે બાળાઓ રાસ રજૂ કરે છે તે રાસ ગરબાની તૈયારી દર્શનાબેન જોષી તથા રાધિકાબેન પંડપા દ્વારા કરાવવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવ માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ જગદીશભાઈ ઓઝા અને અન્ય ટ્રસ્ટી અંબરીશભાઈ જોષી તથા મહિધરભાઈ દવે છેલ્લા ઘણાં સમયથી જહેમત લઈ રહયા છે.






Latest News