મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ પાસે બે ટ્રક વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત 


SHARE













મોરબીના નીચી માંડલ ગામ પાસે બે ટ્રક વચ્ચે દબાઈ જતા યુવાનનું મોત 

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો અને તે ટ્રક સવારે ચાલુ કરતા સમયે અચાનક ભાગવા લાગતા અને તેને રોકવા જતા બે ટ્રકની વચ્ચે દબાઈ જવાથી રાજસ્થાની યુવાનનું મોત નીપજયુ હોવાનું સામે આવ્યુ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામની પાસે ભૈરવનાથ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો અને આજે તા.૨૬-૯ ના સવારે સાતેક વાગ્યે તે ટ્રક મરણ જનાર પ્રહલાદભાઈ છેતમલ ગુર્જર (ઉંમર ૩૨) નામનો યુવાન ઉઠીને પોતાનો ટ્રક ચાલુ કરવા ગયો હતો ત્યારે અચાનક ટ્રક ભાગવા લાગતા ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા અને આ બે ટ્રકોની વચ્ચે દબાઈ જવાથી પ્રહલાદભાઈ છેતમલ ગુર્જર (૩૨) નામના યુવાનનું મોત થયું હોય તેના ડેડબોડીને હાલ અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.જેથી હોસ્પિટલ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરીયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડીથી રાજપર ગામ જતા સમયે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા રમાબેન રતિભાઈ મારૂ (૧૭) રહે. રાજપર તા.મોરબીને ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે નજરબાગ પાસેની જવાહર સોસાયટી ખાતે રહેતા વિવેકભાઈ જીવરાજભાઈ પસાડિયા નામના ૧૮ વર્ષના યુવાનને સાંજે છએક વાગ્યે તેના ઘર નજીક છરી લાગતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News