ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશિપમાં છઠ્ઠા માળેથી નીચે પડતાં યુવતીનું મોત


SHARE











મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશિપમાં છઠ્ઠા માળેથી નીચે પડતાં યુવતીનું મોત

મોરબીના રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશિપમાં નંદનવન હાઈટ્સના છઠ્ઠા માળ ઉપરથી નીચે પડી જવાના કારણે યુવતીનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે દિશામાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ શ્રીજી સોસાયટીમાં શ્રીજી પેલેસ ખાતે રહેતા ધર્મેશભાઈ રૂગનાથભાઈ કાલાવાડિયાની 22 વર્ષની દીકરી ચાર્મીબેન મોરબી નજીકના રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશીપમાં નંદનવન હાઇટ્સના ફ્લેટ નંબર 602 ની ગેલેરીમાંથી નીચે પડી જતા તેને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે યુવતીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવતી તેના ભાઈજીના ઘરે ગઈ હતી અને ત્યાં કોઈ કારણોસર તે છઠ્ઠા માળે ગેલેરીમાંથી નીચે પડી જવાના કારણે તેને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવતીનું મોત નીપજયું છે, આ બનાવની આગળની તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા છે.

બાઇક સ્લીપ

મોરબીના છાત્રાલય રોડ ઉપર આંબાવાડી ખાતે રહેતા ઉમેશભાઈ પ્રવીણભાઈ મકવાણા (25) નામનો યુવાન નવા બસ સ્ટેશન પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ગફાર દાઉદભાઈ ઠેબા (42) અને ફિઝા અમીરભાઈ ઠેબા (26) નામના બે વ્યક્તિને ઇજા થતા ઇજા પામેલા લોકોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં વિદ્યુતનગર પાસે રહેતા રવિન્દ્રભાઈ મિલાક (40) અને પૂનમબેન રવીન્દ્રભાઈ (40) નામના બે વ્યક્તિઓને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વધુમાં જાણવા મળતી માહિતી મુજબ લાલપર ગામ પાસે વાહન ઓવરટેક કરવા જતા સમયે કાર સાથે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઈજા પામેલ બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News