ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર ગટરમાંથી યુવાનની લાશ મળી


SHARE











મોરબીના લખધીરપુર રોડ ઉપર ગટરમાંથી યુવાનની લાશ મળી

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર કારખાના પાસેની ગટરમાંથી આશરે ૪૫ થી ૫૦ વર્ષના યુવાનની લાશ મળી આવી હતી.જેથી પોલીસને જાણ થતા તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી નંદરામભાઇ મેસવાણિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે, મોરબી-વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપરના મેટ્રો સિરામિક કારખાના પાસેની ગટરમાંથી કોઈ કારણોસર મરણ ગયેલ હાલતમાં આશરે ૪૫ થી ૫૦ વર્ષના યુવાનની ડેડબોડી મળી આવી હતી.જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ વડે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે અને તેની પીએમ સહિતની વિધિ કરવા માટે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.હાલ આ મૃતક યુવાન કોણ છે ? અને કયા કારણોસર તેનું મોત નીપજ્યું છે ? તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.આ બાબતે જો કોઈને કોઈ પ્રકારની માહિતી હોય તો તપાસ અધિકારી નંદરામભાઇ મેસવાણિયાના મોબાઇલ નંબર ૯૯૦૪૭ ૧૩૨૪૭ ઉપર અથવા તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૬૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

યુવાન સારવારમાં ખસેડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાં રહેતા મુસ્તાકભાઈ શેખ નામના ૪૦ વર્ષના યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.જેથી ૧૦૮ વડે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિર પાસેની મધુ સ્મૃતિ સોસાયટીમાં રહેતા ક્રિષ્નાભાઈ સીતારામભાઈ નામના ૩૮ વર્ષના યુવાનને તાવ અને ઉલ્ટીના લીધે ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ રાજકોટ નજીકના ઉમરાળા ગામના શિવીબેન દેવાભાઈ ભીલ (૫૭) નામના મહિલાને મોરબીના લાલપર ગામે મેલડી માતાના મંદિર નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રવાપર ગામે આવેલ સરદારનગર સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા નામના ૪૧ વર્ષના યુવાનને વીસીપરામાં કોઈ જનાવર કરડી ગયેલ હોય તેને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માત

મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશિપ સામે રહેતા પ્રદીપભાઈ સીતારામભાઈ રામાનુજ નામના ૨૮ વર્ષના યુવાનને લાલપર ગામે મેલડી માતા મંદિર પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માળિયા હાઇવે અમરનગર ગામ પાસે છોટા હાથી વાહન પલ્ટી મારી જતા પ્રકાશ ગગોરાભાઈ શીરવી (૩૫) રહે.માળિયા(મિં.) ને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.મૂળ રાજસ્થાન હાલ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા સવિતાદેવી કોટેડ (૩૫) નામની મહિલાને બાઈકમાં જતા સમયે રફાળેશ્વર ખોડીયાર મંદિર નજીક વાહન સ્લીપ છતાં સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.






Latest News