મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું


SHARE











વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા યુવાને અને ટંકારા તાલુકાના છતર ગામે રહેતા યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા તે બંને યુવાનના મોત નીપજયાં હતા અને ત્યાર બાદ આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા નિકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (32) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર દરવાજો બંધ કરીને પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન છેલ્લા દોઢ વર્ષથી ડિપ્રેશનની બીમારીમાં હતો અને તેની દવા ચાલી રહી હતી તેવામાં 15 દિવસ પહેલા યુવાનની માતાનું મૃત્યુ થયું હતું જેથી યુવાન વધુ ડિપ્રેશનમાં આવી જતા તેણે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના છતર ગામે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ લીંબાસીયા (45)એ મહેશભાઈ લીંબાસીયાના રહેણાંક મકાનમાં એક ઢાળિયામાં લાકડાની આડસમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી અરવિંદભાઈ લીંબાસીયાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે.






Latest News