મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું


SHARE













વાંકાનેરની પેડક સોસાયટીમાં અને ટંકારાના છતર ગામે એક-એક યુવાને જીવન ટુકાવ્યું

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા યુવાને અને ટંકારા તાલુકાના છતર ગામે રહેતા યુવાને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લેતા તે બંને યુવાનના મોત નીપજયાં હતા અને ત્યાર બાદ આ બંને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટીમાં રહેતા નિકીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ઝાલા (32) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર દરવાજો બંધ કરીને પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન છેલ્લા દોઢ વર્ષથી ડિપ્રેશનની બીમારીમાં હતો અને તેની દવા ચાલી રહી હતી તેવામાં 15 દિવસ પહેલા યુવાનની માતાનું મૃત્યુ થયું હતું જેથી યુવાન વધુ ડિપ્રેશનમાં આવી જતા તેણે પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના છતર ગામે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ લીંબાસીયા (45)એ મહેશભાઈ લીંબાસીયાના રહેણાંક મકાનમાં એક ઢાળિયામાં લાકડાની આડસમાં દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી અરવિંદભાઈ લીંબાસીયાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં આગળની તપાસ સ્થાનિક પોલીસે હાથ ધરી છે.






Latest News