ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરની આશિયાના સોસાયટીમાં પાણી ન મળતા મહીલાઓએ માટલા ફોડીને રોષ વ્યકત કર્યો


SHARE











મોરબી : વાંકાનેરની આશિયાના સોસાયટીમાં પાણી ન મળતા મહીલાઓએ માટલા ફોડીને રોષ વ્યકત કર્યો

વાંકાનેર શહેરમાં આવેલા આશિયાના સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભરશિયાળે આ સોસાયટીમાં રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ પાણી શરૂ કરવામાં ન આવતાં અંતે નાછુટરે રોષે ભરાયેલા લોકો દ્વારા જીનપરા ચોકમાં માટલા ફોડીને પાણી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જો આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા આ સોસાયટીમાં પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ મહિલાઓ સહિતના સ્થાનીકોએ ઉચ્ચારી છે.


વાંકાનેર નગરપાલિકા દ્વારા આશિયાના સોસાયટીની અંદર વર્ષોથી પાણી આપવામાં આવી રહ્યું છે અને હાલમાં આશિયાના સોસાયટીમાં રહેતા લોકો દ્વારા નગરપાલિકાના પાણી વેરા પણ ભરવામાં આવે છે  છતાં પણ આ સોસાયટીમાં રહેતા લોકોને હદની મારામારીમાં નગરપાલિકા દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે અને છેલ્લા લગભગ એકાદ મહિનાથી પાણી મળતું ન હોવાથી આશિયાના સોસાયટીમાં રહેતા લોકો પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને અગાઉ નગરપાલિકામાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારી દ્વારા આશિયાના સોસાયટીમાં રહેતા લોકોને પાણી મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી કરીને આ વિસ્તારના લોકોએ અગાઉ વાંકાનેરના પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી અને તેઓની એક જ માંગ છે કે વર્ષોથી નગરપાલિકા દ્વારા તેઓની પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે અને આ લોકો દ્વારા ટેક્સ ભરવામાં આવે છે અને હમણાં સુધી નગરપાલિકા તેઓને પાણી આપતી હતી તો અચાનક શા માટે થઈને આ સોસાયટીની અંદર પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવેલ છે..? આ સોસાયટીના લોકો દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ વાંકાનેરના પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ લોકોને નિયમિત રીતે પાણી મળે તેના માટેની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ન હતી..! જેથી કરીને રોષે ભરાયેલી મહિલાઓ સહિતના સ્થાનીક લોકો દ્વારા આજે સોસાયટીથી લઈને જીનપરા ચોક સુધી રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ ચોકમાં માટલા ફોડીને પાણી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વધુમાં સ્થાનિક મહિલાઓ દ્વારા આગામી દિવસોમાં જો નગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને પાલિકામાં બઘડાટી બોલાવવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News