મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી: મેદસ્વિતાથી બચવા-નિયંત્રણમાં લાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની માર્ગદર્શિકા


SHARE







મોરબી: મેદસ્વિતાથી બચવા-નિયંત્રણમાં લાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની માર્ગદર્શિકા

આજની અક્રિયાશીલ જીવનશૈલી, અપ્રાકૃતિક ખાનપાન, રહેણી-કરણી તેમજ આચાર વિચારને કારણે વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બની રહ્યો છે. જીવનશૈલીમાં નકારાત્મક પરિવર્તન આવવાના કારણે આજે મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર્શાવવામાં આવેલ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખી મેદસ્વિતાથી બચી શકાય છે કે તેને નિયંત્રણમાં લાવી શકાય છે.

મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ અભ્યાસ ખૂબ જ પ્રભાવકારી છે. મેદસ્વિતાને નિયંત્રિત કરવા માટે યોગ ચિકિત્સા રામબાણ સમાન છે. યોગીક જીવનશૈલી, યોગા અભ્યાસ અને સંતુલિત આહારવિહાર કોઈપણ નકારાત્મક અસર વગર શારીરિક ચયાપચય અને હોર્મોન્સસ્ત્રાવને સંતુલિત કરી સ્વાસ્થ્યને જાળવી રાખે છે. જો યોગ્ય શિક્ષકના માર્ગદર્શન હેઠળ નિયમિત દ્રઢ નિશ્ચય સાથે યોગ અભ્યાસ કરવામાં આવે તો મેદસ્વિતા પર ચોક્કસપણે નિયંત્રણ લાવી શકાય છે.

મેદસ્વિતાથી બચવા અન્ન એટલું ચાવવું કે તે પ્રવાહી બની જાય પછી જ ખોરાક ગળેથી ઉતારવો અને પ્રવાહીને એવી રીતે પીવું કે જે રીતે પક્ષીઓ કે પ્રાણીઓ પીતા હોય. નિયમિત સમયાંતરે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું તથા ભોજન કરતી વખતે મોબાઈલ કે ટીવી ન જોવી કે ન તો વાતો કરવી. ઋતુ પ્રમાણે શાકભાજી અને ફળ લેવા જોઈએ, અંકુરિત કરેલ કઠોળ તથા જમવામાં સલાડનો ઉપયોગ કરવો જોઈએ અને વધારે ચરબીવાળો ખોરાક ન લેવો જોઈએ. દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે ખાવાનું ટાળવું જોઈએ, આલ્કોહોલ અને ધુમ્રપાન સદંતર ટાળવું જોઈએ.

રમત ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો જોઈએ અને જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જોઈએ. નિયમિત યોગ અભ્યાસને દૈનિક જીવનની શૈલીમાં મહત્વનું સ્થાન આપવું જોઈએ અને નેચરોપેથી અને આયુર્વેદનો ઉપયોગ કરવો જોઈએ તથા ખોરાકમાં મિલેટ્સનો પણ સમાવેશ કરવો જોઈએ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દર્શાવેલ આ કેટલાક પરિવર્તનો નિયમિત જીવનશૈલીમાં કરવાથી આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ તેમજ મેદસ્વિતાનો શિકાર થતા બચી શકીએ છીએ કે તેને નિયંત્રણમાં લાવી શકીએ છીએ.






Latest News