મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં સિમાચિહન ચુકાદો : ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સામે ફરીયાદ કરતી વાંકાનેર કોર્ટ


SHARE







મોરબીમાં સિમાચિહન ચુકાદો : ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સામે ફરીયાદ કરતી વાંકાનેર કોર્ટ

ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ ચેક રીટર્નની ખોટી ફરીયાદ કરવી ભારે પડી હતી.વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ ના ગુન્હામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરી ફરીયાદી સામે ફરીયાદ કરતો સિમા ચિહનરૂપ ચુકાદો આપેલ છે.તાજેતરમાં વાકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્રારા ફરીયાદીએ, આરોપી ઉપર કરેલ ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અનુસંધાને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવીને સિમાચિહનરૂપ ચુકાદો જાહેર કરેલ છે.

કેસની હકીકત જોઈએ તો અંબાલિયા હેમચંદભાઈ લવજીભાઈ રહે. વાંકાનેર વાળા ઉપર ધી નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ અંગેની ફરીયાદ ફરીયાદીએ કરેલ હતી.વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં, ફરીયાદીએ આરોપી અંબાલીયા હેમચંદુભાઈ લવજીભાઈની સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ કરી ચેક મુજબની રકમના નાણા પરત મેળવવા કેસ કર્યો હતો.જે કેસમાં રજુ કરેલ પુરાવાઓ ફરીયાદી સાબીત કરી ન શકતા, અને આરોપી તરફે રજુ થયેલ પુરાવા તથા આરોપીના વકીલ જયદીપ એચ.હડિયલની ધારદાર દલીલોને ધ્યાને લઈને વાંકાનેર એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટે ફરીયાદી દ્રારા આરોપી ઉપર ખોટી ફરીયાદ અને ખોટા પુરાવા ઉભા કરવામાં આવેલ હોવાનું માનીને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરતો સિમાચિહન ચુકાદો આરોપીની તરફેણમાં જાહેર કરેલ છે.

વધુમાં ફરીયાદી નાણા ધીરધારનો ધંધો કરતા હોય ફરીયાદીનું નાણા ધીરધારનું લાયસન્સ રદ કરવા નાણા ધીરધાર કચેરી-મોરબી ને જરૂરી કાર્યવાહી કરવાનો હુકમ કરવામાં આવેલ છે.તથા ફરીયાદી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૭, ૨૨૮, ૨૩૩, ૨૩૫, ૨૩૬, ૨૩૭ મુજબની ફરીયાદ દાખલ કરવાનો કોર્ટે રજીસ્ટ્રારને હુકમ કર્યો છે.જરૂરી કાર્યવાહી કરવા આ કેસમાં આરોપી અંબાલીયા હેમચંદ્રભાઈ લવજીભાઈ વતી મોરબીના યુવા વકીલ જયદીપ એચ.હડીયલ રોકાયેલ હતા.






Latest News