સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે વીજશોક લાગતા એક ગાય સહિત ત્રણ પશુઓના મોત


SHARE











મોરબીના મકનસર પાસે વીજશોક લાગતા એક ગાય સહિત ત્રણ પશુઓના મોત

મોરબી નજીકના મકનસર ગામ પાસે રેલ્વેના પાટા નજીક આવેલા વિજપોલમાં વીજશોક લાગવાથી બે ભેંસ તેમજ એક ગાયનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર ગામના ખોડાભાઈ જગાભાઈ પાંચિયા જાતે ભરવાડ (૪૪) એ પોલીસ સ્ટેશને આવીને જાહેર કર્યું હતું કે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ પાસે બની રહેલ પોલીસ હેડ કવાટરના પાછળના ભાગે રેલ્વેના પાટા આવેલા છે ત્યાં વિજપોલમાં વિજશોક લાગવાથી બે ભેંસ અને એક ગાયનું મોત નિપજેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એ.એલ.પરમારે આગળની તપાસ હાથ ધરી છે.

પરપ્રાંતિય આધેડનું મોત

મોરબીના ટીંબડી ગામ પાસે માળીયા હાઇવે ઉપર આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીકથી મયુદ્દીનભાઇ જાનીભાઈ શેખ નામના ૫૦ વર્ષીય મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી ટ્રક ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો હતો જેને પગલે તાલુકા પોલીસ મથકે જાણ કરાતા બીટ જમાદાર એમ.એલ.બારૈયાએ તપાસ કરતાં હાર્ટ એટેકને લીધે મયુદ્દીનભાઇ શેખનું મોત નિપજયુ હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે સોઓરડી નજીક આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતો કેતન કિશનભાઇ વાઘેલા નામનો યુવાન બાઇક લઇને પાડાપુલ ઉપરથી જતો હતો ત્યારે તેના બાઇકને કાર ચાલકે હડફેટે લેતાં તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો છે.જ્યારે વાંકાનેરના કોઠી ગામના રહેવાસી લક્ષ્મણભાઈ કાનાભાઈ સોલંકી (૯૨) અને દિનેશ દેવજીભાઈ (૨૫) નામના બે લોકોને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના લાતી પ્લોટમાં રહેતા સુલતાન ઉસ્માનભાઈ નામના ૨૪ વર્ષીય યુવાનને બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને પણ સારવાર માટે ખસેડાયો હતો.






Latest News