મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી સાથે જુદીજુદી સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીની ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી સાથે જુદીજુદી સ્પર્ધા યોજાઇ

મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના કેજી થી ધો. ૧૨ સુધીના વર્ગમાં સ્વયં વિધાર્થીઓ એક દિવસના શિક્ષક બનીને તેમના વર્ગમાં સહપાઠીઓને અભ્યાસ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના ૧૦૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં વિધાર્થીઓ દરેક વિષયના શિક્ષક, મદદનિશ શિક્ષક, પટ્ટાવાળા, ક્લાર્ક, સુપરવાઇઝર અને આચાર્ય તરીકે ભૂમિકા ભજવેલ તેમજ સવારપાળીના આચાર્યા તરીકે સોલંકી આયુષી દિનેશભાઈ (ધો.૯) અને બપોરપાળીના આચાર્યા તરીકે પરમાર પલ્લવી હરીશભાઇ (ધો.૯) એ પોતાની ફરજ નિભાવેલ હતી અને શાળાના બંને આચાર્યાએ ક્વિઝ સ્પર્ધા અને રંગપૂરણી સ્પર્ધામાં વિજેતા વિધાર્થીઓને શુભકામના પાઠવેલ હતી અને અંતમાં શાળા સંચાલક કૌશલભાઈ મહેતાએ આ દિવસની ઉજવણી અંતર્ગત વિધાર્થીઓને માહિતી આપેલ તેમજ શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને ભવિષ્યમાં પણ શિક્ષક બનીને સમાજને યોગ્ય માર્ગદર્શન આપે તેવા આશીર્વચન આપેલ હતા.






Latest News