મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી નજીક કાર ચાલકે રિક્ષાને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE













ટંકારાના હરબટીયાળી નજીક કાર ચાલકે રિક્ષાને ઠોકર મારતા સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

ટંકારાના હરબટીયાળી ગામથી આગળ રાજકોટ તરફ જવાના રસ્તા ઉપર કાર ચાલકે રિક્ષાને ઠોકર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અને રિક્ષા ચાલક યુવાન રિક્ષામાં દબાઈ જતા તેને છાતીમાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજકોટમાં રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર જનક સોસાયટી આરીફભાઈ સાયચાના મકાનમાં રહેતા અહેમદશાહ ઈબ્રાહીમભાઇ શાહમદાર (32)હાલમાં કાર નંબર જીજે 15 સીબી 9808 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 23/8 ના રોજ મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર હરબટીયાળી ગામથી આગળ રાજકોટ તરફ જવાના રસ્તા ઉપરથી તેનો નાનો ભાઈ મહમદસાહીલ ઈબ્રાહીમભાઇ શાહમદાર (26) તેની અતુલ શક્તિ રીક્ષા નંબર જીજે 3 ડીયુ 3747 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે ફરિયાદીના ભાઈની રીક્ષાને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને રીક્ષા પલટી મારી ગઈ હતી ત્યારે ફરિયાદીનો ભાઈ રિક્ષામાં દબાઈ જતા તેને છાતીના ભાગે અને શરીરે ગંભીર જા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી પાસેથી મળેલ માહિતી મુજબ તેનો ભાઈ ટંકારાથી રિક્ષામાં માલ ભરીને રાજકોટ તરફ જઇ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેની રિક્ષાને હડફેટે લીધી હતી અને આ બનાવમાં યુવાનનું મોત નિપજતા તેના બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News