મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં ખાણીપીણી બજાર પાસે લોકોના વાહનોમાં પોલીસે કર્યું નુકશાન !: આપના આગેવાને આંદોલનની ઉચ્ચારી ચીમકી


SHARE











મોરબીમાં ખાણીપીણી બજાર પાસે લોકોના વાહનોમાં પોલીસે કર્યું નુકશાન !: આપના આગેવાને આંદોલનની ઉચ્ચારી ચીમકી

મોરબીમાં લોકોએ પાર્ક કરેલા વાહનમાં પોલીસ અધિકારી અને કર્મચારી નુકસાન કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો મોરબીના શનાળા રોડ ઉપરનો હોવાની વાત હાલમાં સામે આવી રહી છે આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રભારીએ પોતાનો સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂકીને પોલીસ દ્વારા વેપારીઓને કનગત કરવામાં આવી રહી છે તેનો વિરોધ કર્યો છે અને આગામી દિવસોમાં જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ચોક્કસ વિસ્તારોમાં રાત્રિના સમયે પણ ખાણીપીણીના ધંધા ચાલુ રાખવા માટે થઈને છૂટ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા વેપારીઓને રાત્રિના સમયે વહેલા ધંધા બંધ કરવા માટે થઈને કનડગત કરવામાં આવતી હોય તે પ્રકારનો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામેના ભાગનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે આ બાબતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને જે રીતે પોલીસ અધિકારી અને કર્મચારી દ્વારા લોકોના પાર્ક કરેલા બાઈક અને વાહનોમાંથી હવા કાઢી આવે, પ્લગ તોડી નાખવામાં આવે તેવી કામગીરી કરવામાં આવી છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યું છે અને મોરબીમાં નાના વેપારીઓ અને ધંધાદારીઓને રાત્રિના સમયે દુકાનો ખુલી રાખવા દેવામાં આવતી નથી માટે અગાઉ પંકજભાઈએ આવેદનપત્ર પણ આપ્યું હતું છતાં પણ જે રીતે પોલીસે લોકોના વાહનોમાં નુકશાન કર્યું છે તે અંગેનું આગામી સમયમાં સંતોષકારક નિવારણ નહીં આવે તો આગામી સમયમાં વેપારીઓને સાથે રાખીને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.






Latest News