મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર


SHARE











મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર

મોરબીમાં યુવાને આપઘાત કર્યો હતો જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પત્રકાર સહિત 11 સામે ગુનો નોંધાયો હતો જે ચકચારી આપઘાત કેસમાં પત્રકાર ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન આગોતરા જામીન મંજુર કર્યા છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી બી. ડીવીઝન,આ ફરીયાદી જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ ફરીયાદ આપેલી હતી કે, તેનો ભાઈ નિલેશભાઈએ પોતાની ઓફીસમાં જંતુનાશક દવા પીને આપઘાત કર્યો છે અને તેની પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી હતી જેમાં 11 શખસોના નામ હતા જેના આધારે સ્યૂસાઇટ નોટની ખરાઈ કરાવ્યા પછી ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વ્યાજના પૈસા માટે દબાણ કરતાં હોવાથી આપઘાત કર્યો છે તેવી ફરિયાદ નોંધાઈ હતી. જે 11 પૈકીનાં અરજદાર/ આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ મોરબી એડી. સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા મોરબીના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજા તથા એડવોકેટ મહાવીરસિંહ એ. જાડેજા (ચાંદલીવાળા) મારફત આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને મોરબીના સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબે આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાના 50 હજારના શરતોને આધીન આગોતરા જામીન મંજૂર કર્યા છે.






Latest News