મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં 2 મહિલા સહિત 6 આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં 2 મહિલા સહિત 6 આરોપીની ધરપકડ

મોરબીમાં નવલખી ફાટક પાસે સિલ્વર પાર્ક સોસાયટી નજીક ઝૂંપડમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને છરીનો ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને તેના પિતાને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ છ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં નવલખી ફાટકના બ્રિજના છેડા પાસે સિલ્વર પાર્ક નજીક ઝૂંપડમાં રહેતા નરસીભાઈ જીવાભાઇ પરમાર (47)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિજયભાઈ ગુણાભાઈ પરમાર, શંકરભાઇ ઉર્ફે ચકુ ગુણાભાઇ પરમાર, ભગાભાઈ ગુણાભાઈ પરમાર, ભાવુબેન ભગાભાઈ પરમાર, મંજુબેન વિજયભાઈ પરમાર અને શનિભાઈ જીંજવાડીયા રહે. બધા નવલખી ફાટક પાસે પરશુરામ ધામની બાજુમાં ઝૂંપડામાં મોરબી વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, શંકરભાઈ ઉર્ફે ચકુ ફરિયાદીના નાતના રાણીગભાઈ હીરાભાઈ દેવીપુજકની દીકરી સંગીતાને ભગાડી ગયેલ હોય જેનું સમાધાન કરવા માટે આરોપીઓ ફરિયાદીને દબાણ કરતા હતા પરંતુ ફરિયાદી સમાધાન કરવા સાથે જવાની ના કહેતા હોય જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને છરી, ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો ત્યારે ફરિયાદીના ભત્રીજા રમેશભાઈ ગભાભાઇને ડાબા ખભા પાસે છરીનો જીવલેણ ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી અને ફરિયાદીના મોટાભાઈ ગભાભાઈ જીવાભાઈને છરી, ધારિયા અને ધોકા વડે મારમાર્યો હતો જેથી તેણે સારવારમાં લઈ ગયા હતા અને હત્યાના આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ તથા તેની ટીમે આરોપી વિજયભાઈ ગુણાભાઈ પરમાર (25), શંકર ઉર્ફે ચકુ ગુણાભાઈ પરમાર (28), ભગાભાઈ ગુણાભાઈ પરમાર (21), ભાવુબેન ભગાભાઈ પરમાર (20), મંજુબેન વિજયભાઈ પરમાર (24) અને સની હસમુખભાઈ ઝિંઝુવાડીયા (20) રહે. તમામ પરશુરામ ધામ પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News