ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી


SHARE











હળવદના જુના દેવળીયા ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી

હળવદના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ મોબાઈલ ટાવરમાં મૂકવામાં આવેલ બેટરીમાંથી 48 બેટરીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 25,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝરે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ગામના રહેવાસી અને આર.એસ. સિક્યોરિટી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રહલાદસિંહ નટુભા રાણા (47)એ અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે તળાવની પાળ પાસે ઈન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરને અજાણ્યા શખ્સે નિશાન બનાવેલ છે અને મોબાઈલ ટાવરમાં લગાવવામાં આવેલ અમરારાજા કંપનીની 48 બેટરી જેની કિંમત 25 હજાર રૂપિયા થાય છે તે બેટરીની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હસીનાબેન કાસમભાઇ જામ (45) નામના મહિલાને બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા જયાબેન પ્રવીણભાઈ (36) નામના મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ ફી લેતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News