સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી


SHARE











મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લાના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના સુપુત્ર જયાદિત્યસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિત્તે પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા આધુનિકતાથી દુર રહી ને ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ ગાયત્રી હવન કરી તથા શંકર આશ્રમ પાસે આવેલ શ્રી બાજીરાજબા વૃધ્ધાશ્રમ તથા શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃધ્ધાશ્રમમાં પવિત્ર શ્રાવણ માસને અગિયારસના દિવસે જન્મદિવસની વડીલોની વચ્ચે ઉજવણી કરી ફરાળ કરાવી તેમના આશીર્વાદ મેળવીઆ તથા પ્રેરણાદાયી ઉજવણી કરી  સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ મિશન નવભારત સંગઠનની વિચારધારા રાષ્ટ્ર દેવો ભવ, બાળ દેવો ભવને ધ્યાને લઈ પવિત્ર શ્રાવણ માસની બારસ કે જે શાસ્ત્ર મુજબ બાળકો  માટે ની હોય છે એ ધ્યાને લઈ મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમુલભાઈ જોષીએ શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને ચેવડાનો અલ્પાહાર કરાવ્યો હતો. મિશન નવભારત સંગઠન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન મુજબ રાષ્ટ્ર હિત, સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલ છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકો વિવિધ સેવાકાર્યો દ્વારા માનવતાની જયોત જગાવતા રહે  એવો મિશન નવભારત સંગઠનનો પ્રેરક સંદેશ છે.






Latest News