હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો મોરબીમાં દીકરીને આપેલા રૂપિયા બાબતે પત્ની સાથ ઝઘડો કરીને માથામાં હથોડાથી માર મારતા મહિલાનું મોત: હત્યાનો પતિ ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી


SHARE







મોરબીમાં વિહિપ-મિશન નવભારત સંગઠનના આગેવાનોએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લાના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના સુપુત્ર જયાદિત્યસિંહ જાડેજા ના જન્મદિવસ નિમિત્તે પાશ્ચાત્ય સંસ્કૃતિ તથા આધુનિકતાથી દુર રહી ને ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ ગાયત્રી હવન કરી તથા શંકર આશ્રમ પાસે આવેલ શ્રી બાજીરાજબા વૃધ્ધાશ્રમ તથા શોભેશ્વર રોડ ઉપર આવેલ વૃધ્ધાશ્રમમાં પવિત્ર શ્રાવણ માસને અગિયારસના દિવસે જન્મદિવસની વડીલોની વચ્ચે ઉજવણી કરી ફરાળ કરાવી તેમના આશીર્વાદ મેળવીઆ તથા પ્રેરણાદાયી ઉજવણી કરી  સેવાકીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમજ મિશન નવભારત સંગઠનની વિચારધારા રાષ્ટ્ર દેવો ભવ, બાળ દેવો ભવને ધ્યાને લઈ પવિત્ર શ્રાવણ માસની બારસ કે જે શાસ્ત્ર મુજબ બાળકો  માટે ની હોય છે એ ધ્યાને લઈ મિશન નવભારત સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ અમુલભાઈ જોષીએ શ્રી બંધુનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને ચેવડાનો અલ્પાહાર કરાવ્યો હતો. મિશન નવભારત સંગઠન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન મુજબ રાષ્ટ્ર હિત, સમાજ સેવાની પ્રવૃત્તિઓ સાથે સતત સંકળાયેલ છે ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં પણ લોકો વિવિધ સેવાકાર્યો દ્વારા માનવતાની જયોત જગાવતા રહે  એવો મિશન નવભારત સંગઠનનો પ્રેરક સંદેશ છે.






Latest News