મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં વાજતે ગાજતે વિજય ટીકીઝ વાળા રોડનું કરાયું લોકાર્પણ, એક વર્ષમાં 50 થી વધુ રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબીમાં વાજતે ગાજતે વિજય ટીકીઝ વાળા રોડનું કરાયું લોકાર્પણ, એક વર્ષમાં 50 થી વધુ રોડ બનાવવાનું આયોજન: કાંતિભાઈ અમૃતિયા

મોરબીમાં વિજય ટોકીઝ પાસે નવો સીસી રોડ બનાવવામાં આવ્યો છે તેનું આજે વાજતે ગાજતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને આગામી દિવસોમાં મોરબીના 50 થી વધુ રોડ નવા બનાવમાં આવશે અને બાગ બગીચા સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે તેવી માહિતી ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલ છે.

મોરબીમાં વિજય ટોકીઝ પાસે જે રસ્તો હતો તે છેલ્લા ઘણા વર્ષોથી ઉબડખાબડ હતો અને ખાસ કરીને વરસાદમાં ત્યાં પાણી ભરાઈ રહેતું હોવાના કારણે વાહન ચાલકો અને વેપારીઓ સહિતના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા અને આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ વેપારીઓ સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી તેવામાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા આ રસ્તો બનાવવા માટેની કામગીરી 25 જૂનના રોજ ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું અને એક જ માહિનામાં એટ્લે કે 25 જુલાઈના રોજ તે કામગીરી પૂર્ણ થઈ ગયેલ હતી જો કે, સ્થાનિક વેપારીઓ દ્વારા બેન્ડવાજા બોલાવવામાં આવ્યા હતા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને ત્યાં આમંત્રિત કરીને તેઓના હસ્તે આ રોડને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

ત્યારે વેપારી બટુભાઈ ભટ્ટએ પણ જણાવ્યું હતું કે આ રોડની કામગીરી ચાલુ હતી ત્યારે કમિશનર જાતે અહીંયા કામનું નિરીક્ષણ કરવા માટે થઈને આવતા હતા અને રોડની કામગીરી ખૂબ જ સારી કરવામાં આવી છે. તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, હાલમાં આ રોડનું કામ કરવામાં આવ્યું છે આવી જ કામગીરી મોરબીના જુદાજુદા વિસ્તારમાં રોડ બને ત્યારે કરવામાં આવશે અને આગામી 2 તારીખે મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે કાર્યક્રમ યોજીને જુદા જુદા 11 રોડ રસ્તાના વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવશે અને એક વર્ષમાં શહેરમાં લગભગ 50 થી 60 જેટલા રોડ નવા બને તેની સાથોસાથ બાગ બગીચા સહિતની સુવિધાઓ વધે તેવું આયોજન હાલમાં કર્યું છે. 






Latest News