સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

હવે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધા માટે દાણાપીઠ ચોકમાં સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ


SHARE











હવે વાંકાનેરમાં પ્રાથમિક સુવિધા માટે દાણાપીઠ ચોકમાં સ્થાનિક લોકોએ કર્યો ચક્કાજામ

મોરબી જિલ્લામાં આવેલ એક પછી એક નગરપાલિકા વિસ્તારની અંદર લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી ચક્કાજામના કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે અગાઉ મોરબી મહાપાલિકા વિસ્તાર અને આજે સવારે હળવદ પાલિકા વિસ્તાર ત્યાર બાદ હવે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક લોકો દ્વારા દાણાપીઠ ચોકમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને 40 મિનિટ સુધી રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનોના થપ્પા લાગી ગયા હતા.

સરકાર માનવી ત્યાં સુવિધાની વાતો કરે છે પરંતુ ક્યાંકને ક્યાંક સરકારી અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોને સારી પ્રાથમિક સુવિધા પહોંચાડવામાં ઊણા ઉતરતા હોય તેવો ઘાટ મોરબી જિલ્લામાં જોવા મળી રહ્યો છે તેવામાં ગત સપ્તાહમાં મોરબી શહેરી વિસ્તારમાં જુદા જુદા વિસ્તારોમાં ચક્કાજામ થયા બાદ આજે સવારના સમયે હળવદમાં પ્રાથમિક સુવિધાઓ માટે ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો ચક્કાજામ કર્યો છે જે અંગેની મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ દાણાપીઠ વિસ્તારમાં લોકોને રોડ રસ્તા, લાઈટ, પાણીની પ્રાથમિક સુવિધા સારી રીતે મળતી ન હોવાથી પાલિકામાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ લોકોના પ્રશ્ન ઉકેલાતા ન હતા જેથી આજે મહિલાઓ સહિતના લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને નગરપાલિકા હાય હાય સહિતના સૂત્રોચાર કર્યા હતા તેમજ 40 મિનિટ સુધી વાંકાનેરનો મુખ્ય માર્ગ બંધ કરી દેવામાં આવતા ડીવાયએસપી, પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો અને ત્યારબાદ સમજાવટથી રસ્તા ઉપરથી લોકોને હટાવવામાં આવ્યા હતા. જોકે લોકોને સારી પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળતી થશે તે તો આગામી સમય બતાવશે.






Latest News