મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં લખધીરપુર ગામે સરકારી ખરાબામાં કરવામાં આવેલ દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું


SHARE















મોરબી તાલુકાનાં લખધીરપુર ગામે સરકારી ખરાબામાં કરવામાં આવેલ દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું

મોરબી તાલુકાના લખધીરપુરમાં એક વિઘા જેટલી સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું જો કે, આ જમીન 100 ચો.વાર પ્લોટના લાભાર્થીને આપવા માટે નિમ કરેલ હતી. જેથી આજે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ટીમે ગેરકાયદે દબાણનું સરકારી બુલડોઝર ફેરવીને ડીમોલેશન કરી નાખ્યું છે.

મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતના સર્વે નં. ૭૨/૧ પૈ ૧ માં નાયબ કલેકટર મોરબીના હુકમથી મંજુર થયેલ નવા ગામતળની જમીન છે અને ત્યાં લખધીરપુર ગામના દેવજીભાઇ ગંગારામભાઇ ખાણધર દ્વારા આશરે ૧ વિધા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને સરકારી જમીનમાંથી ૧૦૦ ચો.વાર પ્લોટના લાભાર્થીઓને જમીન આપવાની હતી જેથી કરીને મોરબી તાલુકા પંચાયત તથા લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. અને દબાણ કરનારે જાતે દબાણ દૂર કર્યું ન હતું જેથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી અને સરકારી બુલડોઝર ફેરવીને દબાણને દૂર કરવામાં આવ્યું હતું. આ તકે ગામના સરપંચ ચંદ્રીકાબેન કાનજીભાઇ પરમાર, ઉપસરપંચ વિનોદભાઇ ખોડાભાઇ અજાણા, સભ્ય હંસાબેન ભગવાનજીભાઇ પરમાર, તલાટીકમ મંત્રી હેતલબેન એ. ગોહેલ, ટીડીઓ પી.એસ. ડાંગર, વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા, એચ.ડી.રામાનુજ સહિતના અધિકારી અને કર્મચારી ત્યાં હાજર રહ્યા હતા.






Latest News