મોરબી જિલ્લા પંચાયત દ્વારા સિવિલ સર્વિસ એક્ઝામ અવેરનેસ કાર્યક્રમનો ૯૭ યુવાનોએ લાભ લીધો
મોરબી તાલુકાનાં લખધીરપુર ગામે સરકારી ખરાબામાં કરવામાં આવેલ દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું
SHARE








મોરબી તાલુકાનાં લખધીરપુર ગામે સરકારી ખરાબામાં કરવામાં આવેલ દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું
મોરબી તાલુકાના લખધીરપુરમાં એક વિઘા જેટલી સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું જો કે, આ જમીન 100 ચો.વાર પ્લોટના લાભાર્થીને આપવા માટે નિમ કરેલ હતી. જેથી આજે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ટીમે ગેરકાયદે દબાણનું સરકારી બુલડોઝર ફેરવીને ડીમોલેશન કરી નાખ્યું છે.
મોરબી તાલુકાની લખધીરપુર ગ્રામ પંચાયતના સર્વે નં. ૭૨/૧ પૈ ૧ માં નાયબ કલેકટર મોરબીના હુકમથી મંજુર થયેલ નવા ગામતળની જમીન છે અને ત્યાં લખધીરપુર ગામના દેવજીભાઇ ગંગારામભાઇ ખાણધર દ્વારા આશરે ૧ વિધા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું અને સરકારી જમીનમાંથી ૧૦૦ ચો.વાર પ્લોટના લાભાર્થીઓને જમીન આપવાની હતી જેથી કરીને મોરબી તાલુકા પંચાયત તથા લખધીરપુર ગ્રામ પંચાયત દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૧૦૫ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી. અને દબાણ કરનારે જાતે દબાણ દૂર કર્યું ન હતું જેથી દબાણ હટાવવાની કામગીરી કરી હતી અને સરકારી બુલડોઝર ફેરવીને દબાણને દૂર કરવામાં આવ્યું હતું. આ તકે ગામના સરપંચ ચંદ્રીકાબેન કાનજીભાઇ પરમાર, ઉપસરપંચ વિનોદભાઇ ખોડાભાઇ અજાણા, સભ્ય હંસાબેન ભગવાનજીભાઇ પરમાર, તલાટીકમ મંત્રી હેતલબેન એ. ગોહેલ, ટીડીઓ પી.એસ. ડાંગર, વિસ્તરણ અધિકારી સી.એમ.ભોરણીયા, એચ.ડી.રામાનુજ સહિતના અધિકારી અને કર્મચારી ત્યાં હાજર રહ્યા હતા.

