મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE











ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના યુવાને તેઓના ગામના વ્યક્તિ સાથે માથાકૂટ કરી બોલાચાલી અને ઝઘડો કરનારા બે શખ્સને ઝઘડો ન કરવા માટે સમજાવ્યા હતા જે બાબતનો ખા રાખીને બંને શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે એક શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને સાથળના ભાગે છરી મારી હતી જેથી યુવાનને સાથળના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા માટે યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલા (48)હાલમાં યોગેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બંને ઘુનડા (ખા) ગામ તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓની વાઘગઢ ગામની પાછળના ભાગમાં આવેલ વાડીની બાજુમાં અઠવાડીયા પહેલા તેઓના ગામના રભા ઝાલાની સાથે બંને આરોપીઓ બોલાચાલી ઝઘડો કરીને માથાકૂટ કરતા હતા ત્યારે ફરિયાદીએ આરોપીઓને ઝઘડો ન કરવા સમજાવ્યા હતા જે બાબતનો ખા રાખીને યોગેશભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ કાસુન્દ્રાએ ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યોગેશભાઈ કાસુન્દ્રાએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી માટે ફરિયાદીને સારવારમાં હોસ્પિટલે લાવ્યા હતા જ્યાં તેને પગમાં ત્રણ ટાંકા આવ્યા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News