મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE











ટંકારાના વાઘગઢ ગામે વાડી નજીક ઝઘડો કરનાર બે શખ્સોને સમજાવવા ગયેલ યુવાન ઉપર છરી વડે હુમલો

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના યુવાને તેઓના ગામના વ્યક્તિ સાથે માથાકૂટ કરી બોલાચાલી અને ઝઘડો કરનારા બે શખ્સને ઝઘડો ન કરવા માટે સમજાવ્યા હતા જે બાબતનો ખા રાખીને બંને શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો મારમારીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે એક શખ્સે તેની પાસે રહેલ છરી વડે યુવાન ઉપર હુમલો કર્યો હતો અને સાથળના ભાગે છરી મારી હતી જેથી યુવાનને સાથળના ભાગે ત્રણ ટાંકા આવ્યા હતા માટે યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા વનરાજસિંહ મંગળસિંહ ઝાલા (48)હાલમાં યોગેશભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ તુલસીભાઈ કાસુન્દ્રા રહે. બંને ઘુનડા (ખા) ગામ તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓની વાઘગઢ ગામની પાછળના ભાગમાં આવેલ વાડીની બાજુમાં અઠવાડીયા પહેલા તેઓના ગામના રભા ઝાલાની સાથે બંને આરોપીઓ બોલાચાલી ઝઘડો કરીને માથાકૂટ કરતા હતા ત્યારે ફરિયાદીએ આરોપીઓને ઝઘડો ન કરવા સમજાવ્યા હતા જે બાબતનો ખા રાખીને યોગેશભાઈ કાસુન્દ્રા અને મનોજભાઈ કાસુન્દ્રાએ ફરિયાદી યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ યોગેશભાઈ કાસુન્દ્રાએ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને ડાબા પગના સાથળના ભાગે છરીનો ઘા માર્યો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થયેલ હતી માટે ફરિયાદીને સારવારમાં હોસ્પિટલે લાવ્યા હતા જ્યાં તેને પગમાં ત્રણ ટાંકા આવ્યા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News