મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર-રાજકોટ હાઇવે પરના ટાટીયા તોડ સ્પીડ બ્રેકરો જીવલેણ બને તે પહેલા તંત્ર સફેદ પટ્ટા-રેડિયમ રિફલેકટર મૂકવાની માંગ


SHARE











વાંકાનેર-રાજકોટ હાઇવે પરના ટાટીયા તોડ સ્પીડ બ્રેકરો જીવલેણ બને તે પહેલા તંત્ર સફેદ પટ્ટા-રેડિયમ રિફલેકટર મૂકવાની માંગ

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે હાઇવે પર જે સ્પીડ બ્રેકરો બનાવવામાં આવેલ છે જો કે, રાત્રિના સમયે દેખાઈ તેમ નથી જેથી ત્યાં સફેદ પટ્ટા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો ત્યાં સફેદ પટ્ટા કે રેડિયમ રિફલેકટર નહિ મૂકવામાં આવે તો આ સ્પીડ બ્રેકરો નિર્દોષ વાહન ચાલક માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

વાંકાનેરના ખેરવા ગામે રહેતા આરટીઆઇ એક્ટિસ્ટ અને સામાજિક આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યુ છે કે, કુવાડવાથી વાંકાનેર સ્ટેટ હાઈવે રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે હાઇવે પર જે સ્પીડ બ્રેકરો છે તે વાહન ચાલકોના ટાટીયા તોડે અને ફેકચરો કરી નાખે તે પ્રકારના છે આવા સ્પીડ બ્રેકરો ખાસ કરીને ટુ વ્હીલર અને નાના વ્હીલ વાળા વાહનના ચાલકો ઉછળીને પડે છે. ત્યારે આ પ્રકારના બમ્પરો જીવલેણ સાબિત થાય તે પહેલા ત્યાં સફેદ પટ્ટા કરવામાં આવે તેવી માંગ કરેલ છે. ઉલેખનીય છે કે, આ અંગે જવાબદાર તંત્રના અધિકારીને ટેલીફોનિક રજૂઆત કરેલ હતી જેને લાંબો સમય થવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે તંત્ર કોઈના મોતની રાહ જોતું હોય તેમ દેખાઈ રહ્યું છે. અને જો ટ્રાફિકના નિયમની અમલવારી ન કરે તો વાહન ચાલકો પાસેથી દંડ લેવામાં આવે છે તેવી જ રીતે રોડ ઉપર ખાડાના લીધે કે પછી આવા સ્પીડ બ્રેકરના લીધે કોઈ જીવલેણ અકસ્માત થાય તો જે તે વિભાગના અધિકારીને દોષિત ઠેરવવા જોઈએ તેવી પણ માંગ કરેલ છે.






Latest News