મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં... મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે રોડ સાઈડમાં ઉભેલા યુવાનના પગ ઉપર ટ્રક ચાલકે ટાયર ફેરવી દીધું


SHARE















માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે રોડ સાઈડમાં ઉભેલા યુવાનના પગ ઉપર ટ્રક ચાલકે ટાયર ફેરવી દીધું

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે યુવાન રોડ નજીક ઉભો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફેરવી દેતા યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં રહેતા નાગજીભાઈ રામજીભાઈ (25) નામનો યુવાન રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસે ઊભેલ હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તે યુવાનના પગ ઉપરથી ટ્રકનું ટાયર ચલાવી દેતા યુવાનને ગંભીર જા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ ગામે રહેતા રસિકભાઈ દિલીપભાઈ ફુલતરીયા (30) નામનો યુવાન લખધીરપૂર રોડ ઉપર કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સુકુન સીરામીક નજીક આઈસર ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

માર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા નરેશભાઈ નવઘણભાઈ કુંવરિયા (40) નામના યુવાનને ઘરે તેના પત્ની અને ભાઈઓએ માર મારતા પગે અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કારૂભાઈ મનુભાઈ ડુંગરા (32) નામના યુવાનને રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે પથ્થર વાગ્યો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News