મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે રોડ સાઈડમાં ઉભેલા યુવાનના પગ ઉપર ટ્રક ચાલકે ટાયર ફેરવી દીધું


SHARE















માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે રોડ સાઈડમાં ઉભેલા યુવાનના પગ ઉપર ટ્રક ચાલકે ટાયર ફેરવી દીધું

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસે યુવાન રોડ નજીક ઉભો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફેરવી દેતા યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં રહેતા નાગજીભાઈ રામજીભાઈ (25) નામનો યુવાન રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં અમદાવાદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસે ઊભેલ હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તે યુવાનના પગ ઉપરથી ટ્રકનું ટાયર ચલાવી દેતા યુવાનને ગંભીર જા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ઘુટુ ગામે રહેતા રસિકભાઈ દિલીપભાઈ ફુલતરીયા (30) નામનો યુવાન લખધીરપૂર રોડ ઉપર કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સુકુન સીરામીક નજીક આઈસર ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

માર મારતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા નરેશભાઈ નવઘણભાઈ કુંવરિયા (40) નામના યુવાનને ઘરે તેના પત્ની અને ભાઈઓએ માર મારતા પગે અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કારૂભાઈ મનુભાઈ ડુંગરા (32) નામના યુવાનને રાત્રિના 11:00 વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે પથ્થર વાગ્યો હતો જેથી તેને ઈજા થઈ હોવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News