મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ટંકારામાં મકાન વેચી દીધા પછી પણ કબ્જો ખાલી ન કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE







ટંકારામાં મકાન વેચી દીધા પછી પણ કબ્જો ખાલી ન કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીના બેલા રંગપર ગામે રહેતા યુવાને ટંકારામાં મકાનની ખરીદી કરી હતી જે મકાનના માલિકે એક મહિના પછી મકાન ખાલી કરીને આપવાનું કહ્યું હતું જો કે, એક વર્ષ સુધી મકાન ખાલી કરીને આપ્યું ન હતું જેથી મકાન લેનાર યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની મકાન વેચનાર સહિત કુલ પાંચ શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા-રંગપર ગામે રહેતા અંતિમસિંહ બંનેસં જાડેજા (39)હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમીનશા અલીશા સરવદી, આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ અકબરશા સરવદી અને અલીશા અકબરશા સરવદી રહે. બધા ટંકારા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ તેનું ટંકારા ગામે સર્વે નં.1526 A ની ચો.મી. 3182.27 જગ્યામાં આવેલ મકાન ફરિયાદીને વર્ષ 2023 માં વેચાણ આપ્યું હતું અને તે મકાન માટેના રૂપિયા પણ આરોપીઓને ચૂકવી દીધેલ છે જો કે, જે તે સમયે આરોપીઓ દ્વારા મકાનનો કબજો એક મહિના પછી દેવાનું કહેવામા આવ્યું હતું જેથી ફરિયાદી માનવતાની રીતે એક મહિનાનો સમય તેઓને આપેલ હતો જો કે, ત્યાર બાદ આરોપીઓએ મકાન ખાલી કર્યું ન હતું જેથી ફરિયાદી કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જેમાં ફરિયાદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હાલમાં ભોગ બનેલ યુવાનને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં મચ્છુ બ્રીજ પાસે આવેલ રેલવે ફાટક નજીકથી બાઈક ઉપર ગુલામરસુલ કરીમભાઈ જામ (21) રહે. અમદાવાદ વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News