મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારામાં મકાન વેચી દીધા પછી પણ કબ્જો ખાલી ન કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE













ટંકારામાં મકાન વેચી દીધા પછી પણ કબ્જો ખાલી ન કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ

મોરબીના બેલા રંગપર ગામે રહેતા યુવાને ટંકારામાં મકાનની ખરીદી કરી હતી જે મકાનના માલિકે એક મહિના પછી મકાન ખાલી કરીને આપવાનું કહ્યું હતું જો કે, એક વર્ષ સુધી મકાન ખાલી કરીને આપ્યું ન હતું જેથી મકાન લેનાર યુવાને હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની મકાન વેચનાર સહિત કુલ પાંચ શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા-રંગપર ગામે રહેતા અંતિમસિંહ બંનેસં જાડેજા (39)હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમીનશા અલીશા સરવદી, આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ અકબરશા સરવદી અને અલીશા અકબરશા સરવદી રહે. બધા ટંકારા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓએ તેનું ટંકારા ગામે સર્વે નં.1526 A ની ચો.મી. 3182.27 જગ્યામાં આવેલ મકાન ફરિયાદીને વર્ષ 2023 માં વેચાણ આપ્યું હતું અને તે મકાન માટેના રૂપિયા પણ આરોપીઓને ચૂકવી દીધેલ છે જો કે, જે તે સમયે આરોપીઓ દ્વારા મકાનનો કબજો એક મહિના પછી દેવાનું કહેવામા આવ્યું હતું જેથી ફરિયાદી માનવતાની રીતે એક મહિનાનો સમય તેઓને આપેલ હતો જો કે, ત્યાર બાદ આરોપીઓએ મકાન ખાલી કર્યું ન હતું જેથી ફરિયાદી કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી જેમાં ફરિયાદ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ હાલમાં ભોગ બનેલ યુવાનને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીમાં મચ્છુ બ્રીજ પાસે આવેલ રેલવે ફાટક નજીકથી બાઈક ઉપર ગુલામરસુલ કરીમભાઈ જામ (21) રહે. અમદાવાદ વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને ઠોકર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News