વાંકાનેરના કેરાળા નજીક રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં યુવાનને કાર ચાલકે ઉડાવતા માથામાં હેમરેજ
મોરબીના જોન્સનગરમાં પ્રેમ સંબંધ બાબતનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે છરી-તલવાર વડે મારા મારી: હવે સામસામે ફરિયાદ
SHARE








મોરબીના જોન્સનગરમાં પ્રેમ સંબંધ બાબતનો ખાર રાખીને બે પરિવાર વચ્ચે છરી-તલવાર વડે મારા મારી: હવે સામસામે ફરિયાદ
મોરબીના જોન્સનગર વિસ્તારમાં પ્રેમ સંબંધ બાબતનો ખાર રાખીને મંગળવારની રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સામસામે બે પરિવારના લોકો દ્વારા છરી, તલવાર જેવા હથિયારો સાથે મારામારી કરવામાં આવી હતી જેથી બંને પક્ષેથી ઈજા પામેલા લોકોને સારવાર માટે મોરબી અને રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા અને ઘટના સ્થળે વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી આ બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીના લાતી પ્લોટ શેરી નં-10 માં આવેલ જોન્સનગરમાં રહેતા મુસ્તાક કાસમભાઇ સંધવાણી (28)એ હાલમાં મહંમદ કાસમભાઇ થૈયમ, મહેબુબ કાસમભાઇ થૈયમ, કાસમભાઇ ખમીશાભાઇ થૈયમ અને જલાબેન કાસમભાઇ થૈયમ રહે. બધા લાતી પ્લોટ જોન્સનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આશરે પાંચેક મહિના પહેલા આરોપી મહંમદ કાસમભાઇ થૈયમએ ફરિયાદીની બહેનની છેડતી કરેલ હતી ત્યારે આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી અને બાદમાં ઘરમેળે સમાધાન થયેલ હતું જેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીના ઘર પાસે આવીને મહંમદ કાસમભાઇ થૈયમએ ફરિયાદીના પિતા કાસમભાઈ સંતવાણીને મારી નાખવાના ઇરાદે માથામાં તલવારનો ઘા મારીને ઇજા કરી હતી તેમજ ડાબા હાથ ઉપર તલવારનો ઘા મારીને ઈજા કરેલ છે જ્યારે મહેબુબ કાસમભાઇ થૈયમએ ફરિયાદીના ભાઈ અસલમને છરીના ઘા મારી ડાબા હાથના અંગૂઠામાં અને ડાબા પગમાં ગંભીર ઈજા કરી હતી તો કાસમભાઇ ખમીશાભાઇ થૈયમ અને જલાબેન થૈયમ એ છૂટા પથ્થરના ઘા કરીને ફરિયાદીને ડાબી આંખ પાસે તથા તેના માતા ફાતમાબેનને ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જ્યારે મારામારીના આ બનાવમાં સામાપક્ષેથી જોન્સનગર શેરી નં-7 માં રહેતા મહમદ કાસમભાઇ થૈયમ (18) એ મુસ્તાક ઉર્ફે ડાડો કાસમભાઈ સંધવાણી, અસલમ કાસમભાઈ સંધવાણી અને કાસમભાઈ સંધવાણી રહે. બધા જોસનગર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ચારેક વર્ષ પહેલાં ફરિયાદીને આરોપી કાસમભાઈની દીકરી સાથે પ્રેમ સંબંધ હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ મંગળવારે રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં ફરિયાદી અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો ત્યારે મુસ્તાક સંતવાણીએ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને અસલમએ ત્યાં આવી ગયો હતો અને બાદમાં ફરિયાદીના ભાઈ મહેબૂબને આરોપી મુસ્તાક તથા અસલમે મારી નાખવાના ઇરાદે માર મારતા ફરિયાદીના ભાઈને માથામાં ગંભીર ઈજા થયેલ હતી અને જમણા હાથે તેમજ ખભાના ભાગે ઈજા થઈ હતી જો કે, કાસમભાઈ સંધવાણી એ છુટી કાચની બોટલો તથા પથ્થરના ઘા કરીને ફરિયાદીના ભાઈને ડાબા ખભામાં ઇજા કરી હતી જેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

